Friday, April 19, 2024
Homeરાજ્યજામનગરશ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન યુવક મંડળ દ્વારા ધૂન-ભાવનાનું આયોજન

શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન યુવક મંડળ દ્વારા ધૂન-ભાવનાનું આયોજન

- Advertisement -

જામનગરના શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન યુવક મંડળ દ્વારા પટેલ કોલોની સ્થિત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય ખાતે ધૂન-ભાવનાનું આયોજન કરેલું હતું. આ મંડળ દ્વારા દર માસની વદ દશમના રોજ ધૂન-ભાવના યોજાશે.

- Advertisement -

આ વખતની ધૂન ભાવનાનો લાભ સ્વ.વ સુબેન વિનોદરાય શાહ પરિવાર હસ્તે હિર અમિષભાઇ શાહ દ્વારા લેવાયો હતો. ભકિતમય માહોલનો બહોળી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાની સાથે-સાથે જામનગરના પ્રથમ નાગરિક મેયર બીનાબેન અશોકભાઇ કોઠારી ઉપસ્થિત રહયા હતા. આગામી કાર્યક્રમ 15મી એપ્રિલના રોજ યોજાશે તો જૈન-શ્રાવક-શ્રાવિકાને ભકિતનો લાભ લેવા મંડળના મંત્રી અમીષ વિનોદરાય શાહની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular