Thursday, March 28, 2024
Homeરાષ્ટ્રીયસુપ્રિમે કહ્યું, ‘હિંદુઓને લઘુમતી જાહેર કરવા કોર્ટનું કામ નથી’

સુપ્રિમે કહ્યું, ‘હિંદુઓને લઘુમતી જાહેર કરવા કોર્ટનું કામ નથી’

- Advertisement -

સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યુ કે જે રાજ્યોમાં હિન્દુઓની સંખ્યા અન્ય સમુદાયો કરતા ઓછી છે ત્યાં તેમને લઘુમતી જાહેર કરવા કોર્ટનુ કામ નથી. લઘુમતી સ્થિતિનુ નિર્ધારણ અમુક અનુભવજન્ય પરિબળો અને આંકડા પર નિર્ભર કરે છે. જેના કારણે આ અભ્યાસ તેમના અધિકારક્ષેત્રથી બહાર છે.

- Advertisement -

જજ ઉદય યૂ લલિત અને જજ એસ રવીન્દ્ર ભટની બેન્ચ અનુસાર સુપ્રીમ કોર્ટ રેકોર્ડ પર અધિકૃત સામગ્રી વિના રાજ્યોમાં હિંદુઓને લઘુમતી જાહેર કરવાનો સામાન્ય આદેશ જારી કરી શકતી નથી. બેન્ચે અરજીકર્તા દેવકીનંદન ઠાકુર જી તરફથી રજૂ વકીલ અશ્ર્વિની ઉપાધ્યાયને કહ્યુ, કોઈ સમુદાયને લઘુમતી જાહેર કરવાનુ કામ કોર્ટનુ નથી. જ્યાં સુધી તમે અમને અધિકારોથી વંચિત રાખવા અંગે કંઇક નક્કર ન બતાવો ત્યાં સુધી હિન્દુઓને લઘુમતી જાહેર કરવાની સામાન્ય જાહેરાત થઈ શકે નહીં. સોમવારે બેન્ચે અરજીકર્તાના વકીલને કહ્યુ કે 1957થી સુપ્રીમ કોર્ટના નિર્ણય છે, જેમાં કહેવામાં આવ્યુ છેકે ધાર્મિક અને ભાષાકીય લઘુમતીઓ માટે લઘુમતીનો દરજ્જો રાજ્ય દ્વારા નક્કી કરવાનો છે. બેન્ચે કહ્યુ, આ મુદ્દો 1957થી ચાલવામાં આવી રહ્યો છે જ્યારે સુપ્રીમ કોર્ટે કહ્યુ કે આને રાજ્ય મુજબ કરવાનો છે. શા માટે આપણે હવે કંઈક કહેવું અથવા સ્પષ્ટ કરવું જોઈએ?

સમસ્યા એ છે કે તમે એક એવો મુદ્દો બનાવવા ઈચ્છો છો જ્યારે કોઈ મુદ્દો જ નથી. 1957ના નિર્ણયમાં, સુપ્રીમ કોર્ટે કહ્યુ કે રાજ્યની સમગ્ર આબાદીના સંબંધમાં લઘુમતીનુ નિર્ધારણ કરવુ જોઈએ. કોર્ટે કહ્યુ, જો તમે અમને એવા ઉદાહરણો આપો કે જ્યાં હિંદુઓ લઘુમતી છે અને કેટલાક દિશા નિર્દેશો જરૂરી છે, તો અમે કદાચ તેના પર ધ્યાન આપી શકીએ.” પરંતુ તમે કેટલાક રાજ્યોમાં હિંદુઓને લઘુમતી જાહેર કરવા માટે સામાન્ય નિર્દેશની માગ કરી રહ્યા છો. આપણે શા માટે જોઈએ? અમે કોઈપણ સમુદાયને લઘુમતી તરીકે જાહેર કરી શકતા નથી કારણ કે અમારી પાસે વિવિધ રાજ્યો માટે ડેટા અથવા અન્ય તથ્યો નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular