Thursday, March 28, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં પત્ની સાથે બોલાચાલીનું લાગી આવતા પતિએ દવા ગટગાટવી

જામનગરમાં પત્ની સાથે બોલાચાલીનું લાગી આવતા પતિએ દવા ગટગાટવી

પાડોશી સાથેના સંબંધના કારણે પતિ-પત્ની વચ્ચે અવાર-નવાર બોલાચાલી : સમયાંતરે થતી બોલાચાલીનું લાગી આવતા પતિએ દવા પીધી : જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત

- Advertisement -

જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલા નિલકંઠનગર વિસ્તારમાં રહેતા યુવાનને પાડોશી સાથે સંબંધના કારણે પત્ની સાથે અવાર-નવાર થતી બોલાચાલીનું મનમાં લાગી આવતા ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર આવેલા નિલકંઠનગર શેરી નં. 2 માં બ્લોક નં.2/92 માં રહેતાં નિલેશભાઈ જયેન્દ્રભાઈ ગોરાતલ (ઉ.વ.45) નામના યુવાનને તેમના પાડોશી સાથે સંબંધ હોય અને જે સંદર્ભે તેન્તી ગીતાબેન સાથે અવાર-નવાર બોલાચાલી અને ઝઘડો થતો હતો. અવાર- નવાર થતી બોલાચાલીનું મનમાં લાગી આવતા નિલેશભાઈ એ તા.14 ના મંગળવારના સવારના સમયે તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવાનને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવાનનું સારવાર દરમિયાન ગુરૂવારે રાત્રીના સમયે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પત્ની ગીતાબેન દ્વારા જાણ કરાતા એેએસઆઈ કે.પી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular