Thursday, April 18, 2024
Homeરાજ્યગુજરાતગુજરાત ભાજપના વરિષ્ઠ આગેવાન દતાજી ચિરંદાસનું કોરોનાથી નિધન

ગુજરાત ભાજપના વરિષ્ઠ આગેવાન દતાજી ચિરંદાસનું કોરોનાથી નિધન

પીએમ મોદીએ ટ્વીટ મારફતે શોક વ્યક્ત કર્યો

- Advertisement -

ગુજરાત ભાજપના વરિષ્ઠ આગેવાન દતાજી ચિરંદાસનું આજે રોજ કોરોનાથી નિધન થયુ છે. ભાજપના પાયાના કાર્યકર અને ભાજપને ઉંચાઈ પર લઈ જનાર સંગઠનમાં પ્રાણ પુરનાર 80 વર્ષના દત્તાજીએ અમદાવાદની SVP હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો. બે દિવસ પૂર્વે જ તેમનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. અને તેઓને SVP હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવતા આજે રોજ સારવાર દરમિયાન તેમના નિધનથી ભાજપના વરિષ્ઠ આગેવાન તેમજ કાર્યકરોએ શોક વ્યક્ત કયો છે.

- Advertisement -

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ દ્રારા શોક વ્યક્ત કરતા જણાવ્યું કે,” ગુજરાત ભાજપના વરિષ્ઠ આગેવાન શ્રી દતાજી ચિરંદાસજી ના અવસાનના સમાચાર અત્યંત આઘાતજનક છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના વિકાસમાં એમનું યોગદાન સદાય સ્મરણીય રહેશે. પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને ચિર શાંતિ બક્ષે એ જ પ્રાર્થના…”

માત્ર ધો.4 સુધી અભ્યાસ કરી,1964માં 14 વર્ષની વયે આર.એસ.એસ.માં જોડાઈ જઈ જાહેર જીવનમાં ઝંપલાવનાર દત્તાજીને ભણવાની પ્રબળ ઈચ્છા હતી.2013માં તેઓએ 74 વર્ષની વયે પોલિટીકલ સાયન્સના મુખ્ય વિષય સાથે M.Aની પરીક્ષા આપી હતી.  તેઓ GIDCના ચેરમેન પણ રહી ચુક્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular