જામનગર ખાતે આજરોજ આયુર્વેદ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં રાજ્યપાલ અને આરોગ્ય મંત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં 1841 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી.

વિશ્વની સૌ પ્રથમ અને ગુજરાત સરકારની એકમાત્ર ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા આજરોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને 29મો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ તકે રાજયના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતાં. આયુર્વેદ યુનિવર્સિટી ખાતે રાજ્યપાલ પહોંચતા તેનું ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજમાતા ગુલાબકુંવરબા ઓડીટોરીયમ ખાતે આયોજિત પદવીદાન સમારોહમાં 1841 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવાની સાથે બે વિશિષ્ટ સેવા પ્રદાન કરનાર મહાનુભાવને ડી.લીટ.ની પદવી એનાયત કરવામાં આવી હતી તેમજ ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સુવર્ણ અને રજત મેડલ પણ એનાયત કરાયા હતાં.
આ તકે સાંસદ પૂનમબેન માડમ, મેયર વિનોદભાઈ ખીમસુરીયા, જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજા, જામનગર દક્ષિણ ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ ડો. નરેશકુમાર જૈન, આઈટીઆરએના નિયામક પ્રો. તનુજા નેસરી, શહેર કમિશનર ડી એન મોદી, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, ભાજપા પ્રમુખ બીનાબેન કોઠારી, જિલ્લા ભાજપા પ્રમુખ વિનુભાઈ ભંડેરી, જિલ્લા પંચાયતના પ્રમુખ મયબેન ગરચળ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.