Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરકનસુમરા પાટીયા પાસે કારખાનામાં આગ

કનસુમરા પાટીયા પાસે કારખાનામાં આગ

- Advertisement -

જામનગર નજીક કનસુમરા પાટીયા પાસે આવેલ કારખાનામાં આગ લાગતા સ્ક્રેપ સહિતનો માલસામાન બળીને ખાક થઈ ગયો હતો. આ અંગે જાણ થતા ફાયર વિભાગની ટીમ દોડી જઈ આગને કાબુમાં લીધી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર નજીક કનસુમરા પાટીયા પ્લોટ નંબર 22 માં આવેલા હિન્દુસ્તાન એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાંથી શનિવારે મધ્યરાત્રિના સમયે અકસ્માતે આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનાની જાણ થતા જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગના જવાનો ઘટનાસ્થળે દોડી ગયા હતાં અને પાંચ હજાર લીટર જેટલો પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. સદનસીબે કારખાનું બંધ હોય મોટી જાનહાની ટળી હતી. પરંતુ આગને પરિણામે કારખાનામાં રહેલો સ્ક્રેપ, પ્લાસ્ટિક સહિતનો જથ્થો આગની ઝપેટમાં આવતા બળી ગયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular