જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગઈકાલે ફરી એક વખત બર્ધન ચોક વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં ચાર રેંકડીઓ તથા 15 થી 20 જેટલા પથારા સહિતનો માલસામાન જપ્ત કરવામાં આવ્યો હતો.

જામનગરના બર્ધનચોક વિસ્તારમાં રેંકડી-પથારાવાળાઓના દબાણને કારણે અનેક સમસ્યાઓ સર્જાતી રહે છે. અહીં હંગામી પોલીસ ચોકી પણ નિર્માણ કરાઇ હતી. આમ છતાં સમસ્યા યથાવત રહે છે. જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા અનેક વખત અહીંથી દબાણો દૂર કરવામાં આવે છે છતાં ફરીથી દબાણો સર્જાતા હોય છે ત્યારે ગઈકાલે ફરી એક વખત જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા બર્ધન ચોક વિસ્તારમાં દબાણ હટાવ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એસ્ટેટ શાખાની ટીમ દ્વારા બર્ધનચોકમાંથી ચાર રેંકડીઓ તથા પંંદરથી 20 જેટલા પથારા સહિતનો માલ સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. એસ્ટેટ શાખાની કામગીરીથી રેંકડીધારકો અને પથારાવાળાઓમાં ભાગદોડ મચી ગઈ હતી.