Friday, March 29, 2024
Homeરાજ્યજામનગરજીવદયાપ્રેમી દંપતિ દ્વારા જન્મદિવસે એનિમલ એમ્બ્યુલન્સનું દાન

જીવદયાપ્રેમી દંપતિ દ્વારા જન્મદિવસે એનિમલ એમ્બ્યુલન્સનું દાન

પારસધામ તથા સમસ્ત જૈન સમાજ દ્વારા દંપતિનું બહુમાન કરાયું

- Advertisement -

જામનગરમાં જીવદયાપ્રેમી રેખાબેન સંઘવી અને વિજયભાઇ સંઘવીના જન્મદિવસ નિમિત્તે એનિમલ એમ્બ્યુલન્સનું દાન કરી સેવાકાર્ય થકી જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisement -

જામનગરના જીવદયાપ્રેમી અને સેવાકાર્ય કરનાર રેખાબેન તથા વિજયભાઇ દંપતિ દ્વારા જન્મદિવસની અનોખી ઉજવણી કરવાના ભાગરુપે પશુઓની સારવાર માટે ઉપયોગી એનિમલ એમ્બ્યુલન્સનું દાન આપવામાં આવ્યું હતુ. આજરોજ સવારે 8:30 વાગ્યે પારસધામમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન એમ્બ્યુલન્સને અર્પણ કરવામાં આવી હતી. આ તકે પારસધામ ટીમ તથા સમસ્ત જૈન સમાજ દ્વારા સંઘવી પરિવારનું બહુમાન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular