Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરદરેડ ગામના યુવાનનું બેશુધ્ધ થઇ જતાં મોત

દરેડ ગામના યુવાનનું બેશુધ્ધ થઇ જતાં મોત

- Advertisement -

જામનગર તાલુકાના દરેડ ગામમાં આવેલી 72 ખોલી પાસેથી બેશુધ્ધ હાલતમાં મળી આવેલા યુવાનનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર તાલુકાના દરેડ ગામમાં સરદારનગર સોસાયટીમાં રહેતા રામાભાઇ લાખાભાઇ હુણ (ઉ.વ.35) નામનો યુવાન ગત તા.28ના રોજ સાંજના સમયે દરેડ ગામમાં 72 ખોલી પાસેથી બેશુધ્ધ હાલતમાં મળી આવતા યુવાનને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું બુધવારે સાંજે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના પુત્ર પાચાભાઇ દ્વારા જાણ કરાતા એએસઆઇ પી.બી.ગોજિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પી.એમ. માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular