Thursday, April 18, 2024
Homeઆંતરરાષ્ટ્રીયભારતની કોવાકસિન રસી મેળવવા બ્રાઝિલનો ઇન્કાર

ભારતની કોવાકસિન રસી મેળવવા બ્રાઝિલનો ઇન્કાર

ભારત બાયોટેક કંપનીએ બ્રાઝિલના સતાવાળાઓને અરજી મોકલી હતી

- Advertisement -

બ્રાઝિલમાં ડ્રગનું નિયંત્રણ કરતી સંસ્થાનું નામ અનવિશા છે. આ સંસ્થા સમક્ષ ભારતની ભારત બાયોટેક કંપનીએ અરજી કરી હતી. અને બ્રાઝિલ ખાતે પોતાની વેકિસન કોવાકસિન મોકલવા અંગે મંજૂરી માંગી હતી. અત્યંત આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે બ્રાઝિલે આ વેક્સિન મેળવવાનું ઇન્કાર કરી દીધો છે.

- Advertisement -

બ્રાઝિલની સરકારે આ વેક્સિન અંગે જણાવ્યું છે કે, ભારતની આ કંપની રસી બનાવતી વખતે કોરોના વાયરસને સંપૂર્ણ રીતે મૃત અથવા ઇનએકટીવેટ કરતી નથી. તેના માટે કંપની યોગ્ય પગલાં ઉત્પાદન વખતે લેતી નથી. તેથી અમો ભારતની આ વેક્સિન મેળવવા ઇચ્છતા નથી.

આ ઉપરાંત બ્રાઝિલના ડ્રગ ક્ધટ્રોલરના જણાવ્યા પ્રમાણે ભારત બાયોટેકની કોવાકસિન નામની વેક્સિનની ક્ષમતા અને દર્દીના શરીરમાં એનટીજન પૂરતા પ્રમાણમાં પેદા કરવાની ક્ષમતા કંપનીની વેક્સિનના દરેક ડોઝમાં અલગ અલગ હોય છે. આ બધી બાબતોને કારણે આ વેક્સિન સલામત છે એવી ખાતરી ન આપી શકાય અને આ રિપોર્ટના આધારે બ્રાઝિલે આ વેક્સિનના બે કરોડ ડોઝ મેળવવાની ના પાડી દીધી છે.

- Advertisement -

નવાઇની વાત એ છે કે, ભારત સરકારે આ વેક્સિનને મંજૂરી આપી છે. તો ભારતની એજન્સીએ બ્રાઝિલની એજન્સી સાથે આ બાબતે કોઇ વાતચીત શા માટે નથી કરી? શા માટે વાંધો નથી લીધો? આ આખો રિપોર્ટ બેંગ્લોરની વિજ્ઞાન ક્ષેત્રની ફ્રી લાન્સ મહિલા પત્રકાર પ્રિયંકા પૂલ્લા દ્વારા ભારતમાં જાહેર કરવામાં આવતાં સનસનાટી મચી ગઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular