Thursday, May 22, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં બ્લેકઆઉટ: પાન-મસાલાના વ્યસનીઓ બેચેન

જામનગરમાં બ્લેકઆઉટ: પાન-મસાલાના વ્યસનીઓ બેચેન

- Advertisement -

પાકિસ્તાન દ્વારા જમ્મુ-કાશ્મીરમાં હુમલો કરાયા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુધ્ધ જેવી સ્થિતિ નિર્માણ પામી છે. આતકંવાદી હુમલા બાદ ભારત દ્વારા આતંકીઓનો સફાયો કરવા લેવાયેલા પગલાના કારણે બન્ને દેશ વચ્ચે તણાવ સર્જાયો છે. આવી સ્થિતિમાં દરિયાકિનારે આવેલા સંવેદનશીલ એવા જામનગરમાં કલેકટર દ્વારા એરફોર્સે આપેલા ઇન્પુટના આધારે આજે રાત્રે 8 વાગ્યાથી 6 વાગ્યા સુધીના 10 કલાક દરમ્યાન બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે અને આ બ્લેકઆઉટ દરમ્યાન ઔદ્યોગિક વિસ્તારો, રહેણાક વિસ્તારોમાં જનરેટર કે ઇન્વર્ટર ચાલુ નહીં કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. એલર્ટના પગલે જામનગરની ત્રણેય પાંખો પણ એલર્ટ થઇ ગઇ છે. સાથે-સાથે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ પણ એકશનમાં આવી ગયો છે. જામનગર શહેર અને જિલ્લામાં કલેકટર કેતન ઠક્કર દ્વારા બ્લેકઆઉટ જાહેર કરાયા બાદ શહેરમાં અને જિલ્લામાં વ્યાપાર અને દુકાનો બંધ કરવાનો આદેશ કરાયો છે. જેના પગલે સૌરાષ્ટ્ર અને તેમાં પણ ખાસ કરીને જામનગર પાન અને મસાલા માટે વિશ્ર્વ વિખ્યાત બની ગયું છે.

બ્લેકઆઉટ જાહેર કરાયા બાદ જામનગર શહેરમાં આવેલી આશરે 1000 થી વધુ પાનના દુકાનદારોને ત્યાં તથા પાન-મસાલાના હોલસેલ વેપારીને ત્યાં વ્યસનીઓની ભારે ભીડ લાગી પડી છે કેમ કે, યુધ્ધની પરિસ્થિતિ માત્ર આજના દિવસ માટે નથી પરંતુ કલેકટર દ્વારા આજે એક દિવસ માટે બ્લેકઆઉટ જાહેર કરાયો છે ત્યારે પાન-મસાલા માટે તલપાપડ બનેલા વ્યસનીઓ પાનની દુકાનોએ દોડી ગયા છે અને જલ્દીથી પાન-મસાલા લઇ સલામત સ્થળે એટલે કે ઘરે પહોંચી જવા નીકળી પડ્યા છે.

- Advertisement -

સામાન્ય પાનની દુકાનોએ તો બપોરે એલર્ટ જાહેર થયા બાદ જ વ્યસનીઓની ભીડ લાગી ગઇ હતી. ત્યારબાદ થોડા સમય પહેલા જ બ્લેકઆઉટ જાહેર કરાતા પાન-મસાલાના હોલસેલરોને ત્યાં પણ ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે. પાન-મસાલાની દુકાનોની સાથે-સાથે પેટ્રોલપંપોએ પણ વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular