Saturday, June 14, 2025
Homeરાજ્યહાલારખંભાળિયા પાસે કાર પાછળ અથડાતાં બાઇકચાલકનું મોત

ખંભાળિયા પાસે કાર પાછળ અથડાતાં બાઇકચાલકનું મોત

હંસ્થળ ગામના પાટિયા નજીક આગળ જતી કાર પાછળ બાઇક અથડાયું : ઇજાગ્રસ્તને એમ્બ્યુલન્સ દ્વારા ખંભાળિયા હોસ્પિટલે ખસેડાયો : સારવાર દરમ્યાન મોત નિપજયું

ખંભાળિયા તાલુકાના સામોર ગામના વાડી વિસ્તારમાં રહેતો યુવાન તેની કારમાં પિતરાઇ સાથે જતો હતો ત્યારે હંસ્થળ ગામના પાટિયા નજીક પહોંચ્યો ત્યારે સ્પીડ બ્રેકર આવતાં કારની બ્રેક મારતા પાછળ આવી રહેલો બાઇકચાલક ધડાકાભેર કાર સાથે અથડાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજા પહોંચતા બાઇકચાલકનું મોત નિપજયું હતું.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના સામોર ગામના વાડી વિસ્તારમાં રહેતા જગદીશભાઈ કરશનભાઈ ગોજીયા નામના 26 વર્ષના યુવાન ગઈકાલે બુધવારે બપોરના આશરે 1 વાગ્યાના સમયે તેમની જી.જે. 05 સી.ડી. 7183 નંબરની મારુતિ સુઝુકી મોટરકારમાં તેમના પિતરાઈ ભાઈ સંદીપભાઈને સાથે લઈને ઘરે જમવા જઈ રહ્યા હતા. ત્યારે અત્રેથી આશરે 15 કી.મી. દૂર હંસ્થળ ગામના પાટીયા નજીક પહોંચતા માર્ગમાં આવેલા એક સ્પીડ બ્રેકરના કારણે તેમણે પોતાની કારને બ્રેક મારી હતી. જેના કારણે તેમની કારની પાછળ આવી રહેલી સુઝુકી મોટરસાયકલ નંબર જી.જે. 10 ડી.એસ. 4866 ના ચાલકે પાછળથી ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.

આ ટક્કરથી બાઈક ચાલક અબ્દુલભાઈ ગુલામભાઈ શેખ (રહે. દ્વારકા) ને શરીરને જુદા જુદા ભાગોમાં ગંભીર ઇજાઓ થતા તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે જગદીશભાઈ કરસનભાઈ ગોજીયાની ફરિયાદ પરથી મોટરસાયકલ ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. યુ.કે. જાદવ દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular