જામનગરમાં વિવિધ પ્રાચિન ગરબી મહોત્સવમાં બાળાઓ દ્વારા ગરબે ઘૂમી માતાજીની આરાધના થઈ રહી છે.
જામનગર શહેરમાં જય શ્રી આશાપુરા ગરબી મંડળ દ્વારા છેલ્લાં 83 વર્ષથી નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વર્ષ 1940 થી શરૂ થયેલી આ ગરબી આજે 84 માં વર્ષે પણ બાળાઓ તથા યુવકો દ્વારા વિવિધ પ્રાચિન ગરબાઓ રજૂ કરી માતાજીની આરાધના કરવામાં આવી રહી છે. આ વર્ષે 65 જેટલી બાળાઓ આ ગરબીમાં ગરબે રજૂ કરી રહી છે. જેમાં તલવાર રાસ, અઠંગા રાસ, રાજસ્થાની ઘુમ્મર સહિતના વિવિધ રાસ રજૂ કરે છે.