Tuesday, April 29, 2025
Homeરાજ્યજામનગરજાયવા નજીક બાઇકે ઠોકરે ચડાવતા એકટીવાસવારનું મોત

જાયવા નજીક બાઇકે ઠોકરે ચડાવતા એકટીવાસવારનું મોત

રવિવારે વહેલીસવારે જાયવાના પાટીયા નજીક અકસ્માત: બાઈકસવારને પણ ઈજા : પોલીસ દ્વારા બાઈકસવાર વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી

ધ્રોલ તાલુકાના જાયવા ગામના પાટીયા નજીકથી પસાર થતા એકટીવા ચાલકને રાજકોટ તરફથી આવતા બાઈકસવારે ઠોકર મારી હડફેટે લેતા અકસ્માતમાં એકટીવા સવાર આધેડને ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના જાયવા ગામમાં રહેતાં શાંતિભાઈ નરશીભાઇ મુંગરા (ઉ.વ.47) નામના આધેડ રવિવારે સવારના સાડા સાત વાગ્યાના અરસામાં તેના જીજે-10-ડીએચ-2484 નંબરના એકટીવાબાઈક પર વાડીએથી ઘર તરફ આવતા હતાં ત્યારે રાજકોટ-જામનગર ધોરીમાર્ગ પર વાડી વિસ્તારનો રસ્તો ક્રોસ કરતા હતાં ત્યારે રાજકોટ તરફથી પૂરઝડપે આવતા જીજે-03-એમએ-5061 નંબરના બાઈકસવાર જિતેન્દ્ર એ તેનું બાઈક બેફીકરાઈથી ચલાવી એકટીવાને ઠોકર મારી હડફેટે લેતા અકસ્માતમાં શાંતિભાઈને શરીરે તેમજ માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. તેમજ બાઈકસવાર વિનીતને શરીરે નાની-મોટી ઈજાઓ થઈ હતી. અકસ્માતના બનાવ અંગે મૃતકના ભત્રીજા ભાવિન દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.એન. જાડેજા તથા સ્ટાફે બાઈકસવાર વિનીત વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular