Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરવિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા પ્રશિક્ષણ વર્ગ યોજાશે

વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા પ્રશિક્ષણ વર્ગ યોજાશે

30 અને 31 માર્ચના 130 જેટલા યુવાનો પ્રશિક્ષણ લેશે

- Advertisement -

વિશ્વ હિન્દુ પરિષદના બજરંગદળ આયામ દ્વારા આવતીકાલથી બે દિવસીય પ્રશિક્ષણ વર્ગ જોગી આશ્રમ ઠેબા ગામ પાસે યોજશે. આ વર્ગમાં યુવાનો લાઠીદાવ જેવા વિષયોનું પ્રશિક્ષણ મેળવશે.

- Advertisement -

વિશ્વ હિન્દુ પરિષદના બજરંગદળ દ્વારા તા.30 અને તા.31 માર્ચ 2024 ના રોજ જોગી આશ્રમ ઠેબા ગામ પાસે બજરંગદળના યુવા કાર્યકર્તાઓ માટે બે દિવસીય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ગમાં આશરે 130 જેટલા બજરંગદળના યુવાનોને યોગ, કસરત, અને લાઠીદાવ જેવા વિષયોની તાલીમ આપવામાં આવશે.

બજરંગદળના આ વર્ગમાં યુવાનોને શારીરિક પ્રશિક્ષણની સાથે સાથે વિશ્વ હિન્દુ પરિષદના અધિકારીઓ દ્વાર બૌધિક વકતવ્યો અપવામાં આવશે. આ વર્ગનું ઉદઘાટન સત્ર તેમજ સમાપન સત્રમાં વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહેશે અને યુવનોને માર્ગદર્શન આપશે તેવું વિશ્વ હિન્દુ પરિષદના જામનગરના જિલ્લા મંત્રી હેમંતસિંહ જાડેજાની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular