Saturday, April 20, 2024
Homeરાજ્યજામનગરજિલ્લા પંચાયતની 24 બેઠકો માટે 82 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ

જિલ્લા પંચાયતની 24 બેઠકો માટે 82 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ

- Advertisement -

જામનગર સહિત રાજ્યમાં મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓમાં મંગળવારે ફોર્મ પરત ખેંચવાના દિવસના અંતની સ્થિતિ મુજબ જિલ્લા પંચાયતમાં 7 ફોર્મ પરત ખેંચાતાં કુલ 82 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે તાલુકા પંચાયતમાં જામનગરમાં 4, લાલપુરમાં 11, જામજોધપુરમાં 8, ધ્રોલમાં 2 મળી કુલ 25 ઉમેદવારી પત્રો પરત ખેંચાતા તાલુકા પંચાયતમાં હવે 333 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે તેમજ સીક્કા નગરપાલિકામાં ફોર્મ ખેંચાવાના દિવસે એક પણ ફોર્મ પરત ન ખેંચાતા હવે 7 વોર્ડમાં કુલ 85 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે.

- Advertisement -

રાજ્યની છ મહાનગરપાલિકાઓ અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગરપાલિકાઓની ચૂંટણી યોજવામાં આવી રહી છે. આ ચૂંટણીઓમાં છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે આગામી તા.21 મતદાન થનાર છે. જ્યારે જિલ્લા પંચાયત-તાલુકા પંચાયત અને નગરપાલિકામાં 28 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. મંગળવારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તથા નગરપાલિકામાં ફોર્મ પરત ખેંચવાના દિવસના અંતે જામનગરની જિલ્લા પંચાયતની 24 બેઠકોની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો પરત ખેંચવાના અંતિમ દિવસે 7 ઉમેદવારીપત્ર પરત ખેંચતા હવે ભારતીય જનતા પાર્ટીના 24 અને કોંગ્રેસના 24 ઉમેદવારો મેદાનમાં છે ઉપરાંત બહુજન સમાજવાદી પાર્ટીના 6 એનસીપીના 1, આમ આદમી પાર્ટીના 17 જ્યારે 10 અપક્ષ ઉમેદવારો મળી કુલ 82 ઉમેદવારો મેદાનમાં છે.

તેમજ જામનગર જિલ્લાની 6 તાલુકા પંચાયતની ચૂંટણી માટેના ઉમેદવારીપત્રો પરત ખેંચવાના અંતિમ દિવસે કુલ 25 ઉમેદવારીપત્રો પરત ખેંચાયા છે. જેમાં જામનગર તાલુકામાં 04 ફોર્મ પરત ખેંચાતા હવે 26 બેઠકો માટે 80 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે કાલાવડમાં એક પણ ફોર્મ પરત ન ખેચાતા 18 બેઠકો માટે 58 ઉમેદવારો મેદાનમાં છે અને લાલપુરમાં 11 ફોર્મ પરત ખેંચાતા 18 બેઠકો માટે કુલ 51 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે. જ્યારે જામજોધપુરમાં 8 ફોર્મ પરત ખેંચાતા હવે 18 બેઠકો માટે 63 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. તથા ધ્રોલમાં 2 ફોર્મ પરત ખેંચાતા હવે 16 બેઠકો માટે 38 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે અને જોડિયામાં એક પણ ફોર્મ પરત ખેંચાયુ ન હતું. જેથી 16 બેઠકો માટે કુલ 43 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે. આમ કુલ 6 તાલુકા પંચાયતની 112 બેઠકો માટેની ચૂંટણીમાં કુલ 333 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે જામજોધપુર તાલુકા પંચાયતની વાંસજાળિયા એક બેઠક બિનહરીફ જાહેર થઈ છે. જે ભાજપને ફાળે ગઇ છે.

- Advertisement -

આ ઉપરાંત સિક્કા નગરપાલિકાના 7 વોર્ડની 26 બેઠક માટેની યોજાયેલી ચૂંટણીમાં ઉમેદવારીપત્ર પાછુ ખેંચાયું નથી અને કુલ 85 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે જેનું મતદાન 28 ફેબ્રુઆરીએ યોજાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular