Friday, May 8, 2026
Homeરાજ્યહાલારનાગેશ્વર દર્શનાર્થે આવેલી યુવતીની છેડતી કરી હુમલો

નાગેશ્વર દર્શનાર્થે આવેલી યુવતીની છેડતી કરી હુમલો

અમદાવાદના પરિવારજનો નાગેશ્વરના દર્શનાર્થે : યુવતીની છેડતી બાબતે બોલાચાલી : 6 શખ્સો દ્વારા છરા જેવા હથિયારો વડે હુમલો : પોલીસ દ્વારા ગુનો નોંધી કાર્યવાહી

ઓખા મંડળના નાગેશ્વર વિસ્તારમાં દર્શનાર્થે આવેલા અમદાવાદ વિસ્તારના રહીશ પરિવારજનો-યાત્રિકો પર યુવતીની છેડતી બાબતે બોલાચાલી કરી, છરા જેવા જીવલેણ હથિયારો વડે હુમલો કરવા સબબ બે અજાણ્યા સહિત છ શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં રહેતા અક્ષેશભાઈ દિનેશભાઈ પંચાલ (ઉ.વ.29) નામનાયુવાન તેમના મિત્ર તથા પરિવારજનો સાથે દ્વારકા વિસ્તારમાં દર્શનાર્થે આવ્યા હતા. તેમની સાથે આવેલી તેમના મિત્રની બહેનને એક્ટિવા પર આવેલા આરોપી પ્રકાશભા માણેક અને સિધ્ધરાજભા સુમણીયાએ હોર્ન વગાડીને, તેણીની સામે જોઈને છેડતી કરતા ફરિયાદી અક્ષેશભાઈ અને તેમની સાથે કેતુલભાઈ સાથે થયેલી બોલાચાલી બાદ આરોપીઓએ ઝઘડો કરી અને “આગળ આવ, તને બતાવું.” તેમ કહી, થોડે આગળ લઈ ગયા હતા. અહીં રહેલા બે અજાણ્યા શખ્સો તેમજ અન્ય આરોપી રાજવીર માણેક અને રાયાભા સુમણીયા મળીને તમામ છ શખ્સોએ શેરડીના સાઠા તથા નારીયલ કાપવાના કોઇતા (છરા) જેવા તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો.

આમ, આરોપીઓએ એકસંપ કરીને અક્ષેશભાઈ પંચાલ તથા તેમની સાથે આવેલા તેમના મિત્ર પરિવારના કેતુલભાઈ, સુભાષભાઈ, સુરાગભાઈ, ભરતભાઈ, વિક્રમભાઈ, અલ્પાબેન, ભાવનાબેન વિગેરેને શેરડીના સાઠા વડે તથા ઢીકાપાટુ અને નારિયળ કાપવાના કોઇતા (છરા) જેવા તીક્ષ્ણ હથિયારો વડે માર મારી, જીવલેણ હુમલો કરીને ઈજાઓ પહોંચાડી હોવાનું આ પોલીસ ફરિયાદના જાહેર થયું છે.

- Advertisement -

આ સમગ્ર બનાવ અંગે મીઠાપુર પોલીસે બી.એન.એસ. તથા જી.પી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ મીઠાપુરના પી.આઈ. એસ.આર. ખરાડી દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular