Friday, March 21, 2025
Homeરાજ્યખંભાળિયાના ધમધમતા વિસ્તારમાં આગના બનાવથી દોડધામ

ખંભાળિયાના ધમધમતા વિસ્તારમાં આગના બનાવથી દોડધામ

ફાયર સ્ટાફે આગ પર કાબુ મેળવ્યો 

ખંભાળિયાના ટ્રાફિકથી ધમધમતા એવા જોધપુર ગેઈટ વિસ્તારમાં ગતરાત્રીના આશરે દસેક વાગ્યે એકાએક આગ ભભૂકી ઉઠી હતી. જોધપુર ગેઈટ વિસ્તારમાં આવેલી જૂની ખડપીઠવારી ખુલ્લી જગ્યામાં આવેલો વંડો કે જ્યાં સ્થાનિકો કચરો- ડૂચો નાખે છે, આ કચરામાં કોઈ કારણોસર એકાએક આગ લાગી હતી.

- Advertisement -

જેણે થોડી જ વારમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ બનાવ અંગે સ્થાનિકો દ્વારા નગરપાલિકાના ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરાને જાણ કરાતા તેમના દ્વારા ફાયર બ્રિગેડની વ્યવસ્થા કરવામાં આવી હતી. અને ફાયર સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઈ, આશરે અડધો- પોણો કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આ કારણે કોઈ નોંધપાત્ર નુકશાની થવા પામી ન હતી. પરંતુ થોડો સમય ભયના માહોલ સાથે દોડધામ પ્રસરી ગઈ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular