Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરવોર્ડ નં.1 માં પીવાના પાણી સહિતની સમસ્યાઓ અંગે આવેદનપત્ર પાઠવાયું - VIDEO

વોર્ડ નં.1 માં પીવાના પાણી સહિતની સમસ્યાઓ અંગે આવેદનપત્ર પાઠવાયું – VIDEO

આમ આદમી પાર્ટી દ્વારા સમસ્યાના નિરાકરણની માંગણી

- Advertisement -

જામનગરના વોર્ડ નં.1મા પીવાના પાણી તથા ગટર વ્યવસ્થા સહિતની જીવન જરૂરિયાતની સેવાઓ પૂરી પાડવા આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડ દ્વારા કમિશનરને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

- Advertisement -

આવેદનપત્રમાં જણાવ્યું છે કે, જામનગર શહેરના વોર્ડ નં.1 માં ગરીબનગર પાણાખાણ સહિતના વિસ્તારમાં છેલ્લાં ઘણાં સમયથી પીવાના પાણીની સમસ્યા છે. તેમજ રોડ-રસ્તાઓની સફાઈ ન થતા ગંદકીના સામ્રાજ્ય થયા છે. અનેક વિસ્તારોમાં ગટરની સુવિધા છે જ નહીં. અને જ્યાં છે ત્યાં સફાઈ થતી નથી. જેના કારણે રોગચાળાની સમસ્યાઓ સર્જાય છે. આથી આ સમસ્યાનું નિરાકરણ લાવવા માંગણી કરાઇ છે. શહેર પ્રમુખ કરશનભાઈ કરમુર સહિતના અગ્રણીઓએ આવેદનપત્ર પાઠવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular