Friday, March 29, 2024
Homeરાજ્યજામનગર નજીક છોટાહાથીએ ઠોકરે ચડાવતા બાઈકસવારનું મોત

જામનગર નજીક છોટાહાથીએ ઠોકરે ચડાવતા બાઈકસવારનું મોત

પડાણા નજીક અકસ્માત: બાઈકને ઠોકરે ચડાવી ઢસડતા પ્રૌઢનું ઘટનાસ્થળે મૃત્યુ: અન્ય વ્યકિતને ઈજા

- Advertisement -

જામનગર જિલ્લાના પડાણા પાટિયા નજીક રવિવારે સવારના સમયે પસાર થતા બાઈકને પૂરઝડપે બેફીકરાઇથી આવતા છોટાહાથી વાહનના ચાલકે ઠોકરે ચડાવતા પ્રૌઢનું મોત નિપજ્યું હતું.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર જિલ્લાના પડાણા ગામના મુખ્ય રોડ પરથી જીજે-18-કયુ-0151 નંબરના બાઈક પર વાલાભાઈ નારણભાઈ લાંબરીયા અને ધાનાભાઈ ભીખાભાઈ નામના બે વ્યક્તિઓ રવિવારે સવારે સનરાઈઝ સ્કૂલ સામેના માર્ગ પરથી જતા હતાં તે દરમિયાન શીવપરા રોડ પર પૂરઝડપે બેફીકરાઈથી આવતી જીજે-37-ટી-4973 નંબરના છોટાહાથી વાહનના ચાલકે બાઈકને ઠોકરે ચડાવી ઢસડતા બાઈકસવાર વાલાભાઈ નારણભાઈ લાંબરીયા (ઉ.વ.57) નામના પ્રૌઢને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ધાનાભાઈને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. આ અંગેની પરબતભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ કે.આર. સિસોદિયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular