23મી માર્ચના અંગ્રેજ સરકાર દ્વારા ભગતસિંહ રાજગુરૂ અને સુખદેવને ફાંસી આપવામાં આવી હતી. આ શહિદ દિવસ નિમિતે જામનગરમાં આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ (ABVP) દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર શહેરના લાખોટા તળાવ પાસેથી આ બાઇક રેલીનો પ્રારંભ થયો હતો. જેમાં ABVPના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતાં.

View this post on Instagram


