Monday, March 16, 2026
Homeરાજ્યગુજરાતરાજકોટ સ્થિત ખંભાળિયાના પ્રૌઢનું વડોદરા નજીક માર્ગ અકસ્માતમાં મોત

રાજકોટ સ્થિત ખંભાળિયાના પ્રૌઢનું વડોદરા નજીક માર્ગ અકસ્માતમાં મોત

ભોગ બનેલા મામા સાથે જઇ રહેલા જામનગરના યુવાનને ઇજા

જામખંભાળિયાના વતની અને રાજકોટ સ્થાયી થયેલા લોહાણા પ્રૌઢનું ગઇકાલે સવારે વડોદરા નજીક માર્ગ અકસ્માતમાં મોત નિપજયું છે. જયારે તેમની સાથે રહેલા ભાણેજ એવા જામનગરના યુવાનને ઇજા થઇ હતી.

- Advertisement -

આ ગમખ્વાર અકસ્માતની વિગત એવી છે કે, જામખંભાળિયાના વતની રૂપેશભાઇ હેમતલાલ દત્તાણી રાજકોટ સ્થાયી થયા છે અને તેઓ જામનગર વસવાટ કરતા પોતાના ભાણેજ હિરેન જગદીશભાઇ દાવડા સાથે શનિવારે વ્હેલી સવારે 3 વાગ્યે થાર જીપ નં.જીજે-3 એમબી-9829માં ગોવા જવા માટે રવાના થયા હતા.

આ દરમીયાન ગઇકાલે સવારે 7 વાગ્યાના અરસામાં મામા-ભાણેજનું વાહન વડોદરા એક્સપ્રેસ હાઇવે પરથી પસાર થઇ રહ્યું હતું. ત્યારે દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ હાઇવે પર માતર ટોલ નાકા નજીક ખટારા નં.ટીએ-52-એમ-1059ને ઓવરટેક કરવા જતાં થાર જીપ ખટારાના પાછળના ભાગ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં થાર જીપની આગલી સીટ પર બેસેલા રૂપેશભાઇ હેમતલાલ દત્તાણી (ઉ.વ.51)નું સ્થળ પર જ કરૂણ મૃત્યુ નિપજયું હતું. જયારે જીપ ચલાવી રહેલા હિરેન જગદીશભાઇ દાવડાને સામાન્ય ઇજા થઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular