Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં તરૂણીની અગમ્ય કારણોસર આત્મહત્યાથી અરેરાટી

જામનગરમાં તરૂણીની અગમ્ય કારણોસર આત્મહત્યાથી અરેરાટી

શુક્રવારે સવારે ચુંદડી વડે ગળેટૂંપો ખાઇ જિંદગી ટૂંકાવી : પોલીસ દ્વારા કારણ જાણવા તપાસ

જામનગર શહેરના ધરારનગર વિસ્તારમાં રહેતી તરૂણીએ અગમ્ય કારણોસર તેના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં ધરારનગર 2 વિસ્તારમાં સાત નાલા, શાળા નંબર 40 પાસે રહેતાં રફિકભાઇ ગુલમામદભાઇ નાયાણી નામના મજૂરી કરતાં પ્રૌઢની પુત્રી રોજમીન નાયાણી (ઉ.વ.16) નામની તરૂણીએ શુક્રવારે સવારના સમયે તેના ઘરે ઓઢણી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તરૂણીને સારવાર માટે જી જી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની મૃતકના પિતા દ્વારા જાણ કરાતાં પીએસઆઇ કે. એન. જાડેજા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આદરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular