Friday, October 18, 2024
Homeરાજ્યજામનગરધ્રોલમાં યુવાન તબીબનું હૃદયરોગના હુમલાથી મોત

ધ્રોલમાં યુવાન તબીબનું હૃદયરોગના હુમલાથી મોત

શ્રી ધન્વન્તરિ નિદાન કેન્દ્ર ચલાવતા તબીબને રાત્રિના હૃદયરોગનો હુમલો : હોસ્પિટલમાં સારવાર કારગત ન નિવડી : પરિવારમાં તથા તબીબ આલમમાં શોકનું મોજું

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લા સહિત સમગ્ર દેશમાં આ વર્ષે છેલ્લાં થોડાક સમયથી હૃદયરોગના હુમલાની ઘટનાઓ વધી ગઈ છે. દરમિયાન ધ્રોલ ગામમાં ખાનગી પ્રેકટીસ કરતાં તબીબને ગત મોડી રાત્રે હૃદયરોગનો હુમલો આવતા સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

છેલ્લાં એક વર્ષથી જામનગર સહિત સમગ્ર દેશમાં હૃદયરોગના હુમલાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે અને તેમાં પણ ખાસ કરીને નાના બાળકોથી લઇને યુવાનો વધુ ભોગ બની રહ્યા છે. કોરોના કાળ બાદ હૃદયરોગના હુમલાની વધી ગયેલી ઘટનાઓએ દેશવાસીઓને ચિંતામાં મૂકી દીધા છે. દેશભરમાં બની રહેલી આવી ઘટનાઓમાં ખાસ કરીને નાના બાળકોથી લઇને 50 વર્ષ સુધીના યુવાનોનો ભોગ વધુ લેવાઈ રહ્યો છે. આ હુમલાઓમાં તબીબ આલમ પણ બાકાત રહ્યો નથી. જ્યારે જામનગર જિલ્લાના ધ્રોલ ગામમાં શ્રી ધન્વન્તરિ નિદાન કેન્દ્ર ચલાવતા ડો. આર.એસ. આચાર્ય (ઉ.વ.56) નામના તબીબને ગત રાત્રિના સમયે હૃદયરોગનો ઘાતક હુમલો આવતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તબીબનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. તબીબના મૃત્યુથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

બનાવ અંગેની જાણ કરાતા પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર જિલ્લામાં વધી રહેલી હૃદયરોગના હુમલાની ઘટનામાં અગાઉ પણ બાળકો-યુવાનો, તબીબો ભોગ બન્યા હતાં. જ્યારે વધુ એક તબીબનું હૃદયરોગના હુમલાથી મોત નિપજતા તબીબ આલમમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular