Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારચૈતર વસાવા પરની પોલીસ ફરિયાદના વિરોધમાં ખંભાળિયામાં આવેદનપત્ર આપ્યું

ચૈતર વસાવા પરની પોલીસ ફરિયાદના વિરોધમાં ખંભાળિયામાં આવેદનપત્ર આપ્યું

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર કરવામાં આવેલી કથિત ફરિયાદને ખોટી ગણાવી આના વિરોધમાં રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં “આપ”ના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. આ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને અહીંના જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ધારાસભ્ય વસાવાની રાજકીય કારકિર્દી સામે ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનું જણાવી અને આ મુદ્દે મુખ્યમંત્રી દ્વારા સમગ્ર પ્રકરણની ન્યાયિક તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે અહીંના આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા જરૂર પડ્યે રાજ્ય વ્યાપી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ આ પત્રમાં ઉચ્ચારવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular