Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરસાધના કોલોનીની ગુજરીબજાર બંધ કરાવતી એસ્ટેટ શાખા

સાધના કોલોનીની ગુજરીબજાર બંધ કરાવતી એસ્ટેટ શાખા

સ્થાનિકો દ્વારા અગાઉ બંધ કરાવ્યા છતા ફરી શરૂ થતા એસ્ટેટ શાખાને જાણ કરાતા કાર્યવાહી

જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં મંગળવારે ભરાતી ગુજરીબજારથી સ્થાનિકો પરેશાન હોય આજરોજ જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા આ બજાર બંધ કરાવવામાં આવી હતી.

- Advertisement -

જામનગરના સાધના કોલોની વિસ્તારમાં મંગળવારે ગુજરીબજાર ભરાઇ છે. આ ગુજરી બજારમાં ઉમટતી ભીડને કારણે અનેક પ્રકારની સમસ્યાઓ ઉભી થતી હોય આ વિસ્તારના રહેવાસીઓ અને સ્થાનિક લોકો દ્વારા આ બજાર અગાઉ બંધ કરાવવામાં આવી હતી. પરંતુ, આજે આ બજાર ફરીથી શરૂ થઈ જતાં સ્થાનિકો દ્વારા આ અંગે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાને જાણ કરવામાં આવતા એસ્ટેટ શાખા સાધના કોલોની ખાતે દોડી ગઈ હતી અને સ્થાનિકોની રજૂઆતોને ધ્યાને લઇ આ ગુજરી બજાર બંધ કરાવવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular