Friday, April 19, 2024
Homeરાજ્યજામનગરજામનગર મનપા દ્વારા નંદનવન પાર્ક ખાતે 74માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું આયોજન

જામનગર મનપા દ્વારા નંદનવન પાર્ક ખાતે 74માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું આયોજન

આ કાર્યક્રમમાં જામનગરમાં અંગદાન કરનાર પરિવારો ને મહાનગરપાલિકા સન્માનિત કરશે

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા 74 માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નંદનવન પાર્ક ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શહેર મેયર રાષ્ટ્રધ્વજને સલામી આપશે.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા 74 માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે તારીખ 26/ 1/ 2023ને ગુરુવારે સવારે 9 વાગ્યે જીજે-5 ફેશન શો રૂમ પાસે નંદનવન સોસાયટી લાલપુર રોડ ખાતે મનપા દ્વારા ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં અધ્યક્ષ મેયર બીનાબેન કોઠારી રાષ્ટ્રીય ધ્વજને સલામી આપશે આ કાર્યક્રમમાં શહેરના રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાશે તેમજ જામનગરમાં ગત વર્ષમાં અંગદાન કરનાર પાંચ પરિવારોને મેયર કમિશનર સહિતના રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં સન્માનિત કરવામાં આવશે ઉપરાંત જામનગર મહાનગરપાલિકામાં વિવિધ શાખામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓને પણ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે આજે આ સમગ્ર કાર્યક્રમ ના સ્થળે મુખ્ય સ્ટેજ, લાઈટિંગ, ડેકોરેશન સહિતની તૈયારીઓને જામનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular