જામનગરમાં 49 દિ.પ્લોટમાં રહેતા યુવાને પોતાના ઘરે ઝેરી દવા પી લેતા બેભાન હાલતમાં હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા બાદ સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું.
આ બનાવની વિગત મુજબ જામનગરમાં 49 દિ. પ્લોટ આશાપુરા મંદિરની પાસે ઓધવરામનગર માં રહેતા જયેશભાઈ શંકરલાલઅમોલ (ઉ.વ. 39) કોઈ પણ કારણોસર તારીખ 11 જાન્યુઆરી ના પોતાના ઘરે ઝેરી દવા પી લેતા બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તારીખ 15ના યુવાનનું મોત નિપજયાનું તબિબોએ જણાવ્યું હતું. આ અંગે સતીષભાઈ શંકરલાલ અમોલ દ્વારા પોલીસને જાણ કરતાં સીટી સી ડીવીઝનના હેકો. એન.વી.જાડેજા તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.