જામજોધપુરના પાટણ ગામમાં મહિલાને ઝેરી સાપ કરડી જતાં સારવારમાં મૃત્યુ નિપજયું હતું. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
બનાવની વિગત મુજબ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના પાટણ ગામમાં રહેતાં હંસાબેન નરસીભાઇ ખિમાણિયા નામના 46 વર્ષના મહિલા તા. 20ના રોજ તેમના ઘરે લાકડાંના ભારા સરખાં કરતાં હતાં. આ દરમ્યાન લાકડાંના ભારામાંથી ઝેરી સાપ તેમને કરડી જતાં તાત્કાલિક સારવારઅર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના પતિ નરસીભાઇ દ્વારા પોલીસને જાણ કરાતા જામજોધપુરના હે.કો. રવિન્દ્રસિંહ જાડેજા સહિતનો સ્ટાફ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


