Thursday, April 18, 2024
Homeરાજ્યજામનગરવિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ દ્વારા આતંકવાદનું પુતળા દહન

વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ દ્વારા આતંકવાદનું પુતળા દહન

હિન્દુ મંદિરો અને હિન્દુ સમુદાય પર થતાં હુમલાના વિરોધમાં કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

- Advertisement -

હિન્દુઓ પર થઇ રહેલાં અત્યાચાર અને આતંકવાદના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ જામનગર દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવી હિન્દુ પરિવારોનું હિજરત કરવા અટકાવવા માંગણી કરવામાં આવી હતી.

- Advertisement -

તેમજ આતંકવાદનું પુતળાદહન કરી વિરોધ વ્યકત કરાયો હતો. બાંગ્લાદેશ, પાકિસ્તાન, જમ્મુ કાશ્મીરમાં હિન્દુ સમુદાય અને હિન્દુ મંદિરો ઉપર હુમલા ના બનાવ બની રહ્યા છે. સરકાર દ્વારા બાંગ્લાદેશ અને પાકિસ્તાન સરકાર ઉપર દબાણ બનાવી આવી ઘટનાઓ અટકાવવાની માંગ સાથે વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ જામનગર દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને જમ્મુ કાશ્મીરમાં હિન્દુ પરિવારને હિજરત કરતાં અટકાવવા માંગણી કરી હતી. આ ઉપરાંત જામનગરમાં આતંકવાદના પુતળાનું દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular