જામનગર શહેરના શાંતિનગર વિસ્તારમાં રહેતાં યુવકને તેના ભાઇનું ઉપરાણું લેવાની બાબતે બે શખ્સોએ ગાળો કાઢી ઢીકાપાટુનો માર મારી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે બે શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં શાંતિનગર શેરી નંબર સાતમાં સર્વેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં રહેતાં જગદિશસિંહ સુખદેવસિંહ સોઢા નામના (ઉ.વ. 24) નામનો યુવાન શાંતિનગર વિસ્તારમાં બેઠો હતો. તે દરમ્યાન રાત્રિના સમયે પુનિતનગરમાં રહેતા કુલદીપસિંહ લાલુભા જાડેજા અને હરવિજયસિંહ જાડેજા નામના બે શખ્સોએ આવીને, “તું તારા ભાઇ મયૂરનું ઉપરાણું લેશ અને તારો ભાઇ મારી સામે કતરાઇને જૂએ છે. તમારે મારા ભાઇ સાથે જે વાંધો હોય, તમે મારા ભાઇથી દૂર રહેજો.” તેમ કહી જેમ ફાવે તેમ ગાળો કાઢી હતી. ગાળો કાઢવાની જગદિશસિંહએ ના પાડતા બન્ને શખ્સોએ ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવ અંગેની જાણના આધારે પીએસઆઇ જે. પી. સોઢા તથા સ્ટાફએ બે શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.