Saturday, April 20, 2024
Homeરાજ્યજામનગરવધુ ત્રણ ઘાતક રાફેલ વાયા જામનગર થઇ અંબાલા પહોંચ્યા

વધુ ત્રણ ઘાતક રાફેલ વાયા જામનગર થઇ અંબાલા પહોંચ્યા

- Advertisement -

વધુ ત્રણ ઘાતક રાફેલ વાયા જામનગર થઇ અંબાલા પહોંચ્યા

- Advertisement -

ઈન્ડિયન એરફોર્સના કાફલામાં જોડાવા માટે વધુ 3 રાફેલ ફાઈટર જેટ ભારત પહોંચ્યાં છે. ગુજરાત રાજ્યના જામનગર બેઝ પર રાત્રે લગભગ 11 વાગે આ વિમાનોએ લેન્ડિંગ કર્યું છે. ફ્રાંસથી નીકળ્યા બાદ કોઈપણ સ્થળે અટક્યા વગર ત્રણેય જેટ ભારત પહોંચ્યાં છે. માર્ગમાં ઞઅઊની મદદથી એમાં એર-ટુ-એર રીફ્યુલિંગ કરાવ્યું હતું.
આ સાથે જ ભારતમાં રાફેલની સંખ્યા વધીને 14 થઈ ગઈ છે. 11 રાફેલનો કાફલો અગાઉથી જ ફ્રાંસથી આવી ચૂક્યો છે. ન્યૂઝ એજન્સીનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એપ્રિલના બીજા સપ્તાહમાં વધુ 7 રાફેલ આવી શકે છે. આ ઉપરાંત રાફેલનું ટ્રેનર વર્ઝન પણ ભારત આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular