Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરપત્ની સાથે બોલાચાલી બાદ પતિએ જિંદગી ટૂંકાવી

પત્ની સાથે બોલાચાલી બાદ પતિએ જિંદગી ટૂંકાવી

- Advertisement -

જામનગર શહેરના રણજીતનગર વિસ્તારમાં રહેતા યુવાને તેની પત્ની સાથે બોલાચાલી થયા બાદ પત્ની રીસાઈને જેઠના ઘરે ચાલી જતા મનમાં લાગી આવતા પતિએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જામનગર નજીક પંચાયત કર્મચારીનગર પાસેના સોનલનેશમાંથી વૃદ્ધનો મૃતદેહ સાંપડતા પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના રણજીતનગરમાં આવેલા જી/12 બ્લોક નં.2147 માં રહેતા નિલેશ પ્રેમચંદભાઈ સાવલા (ઉ.વ.42) નામના યુવાને તેની પત્ની સાથે બોલાચાલી થવાથી પત્ની રીસાઈને જેઠના ઘરે ચાલી ગઈ હતી. આ બાબતનું મનમાં લાગી આવતા નિલેશે રવિવારે સવારના સમયે તેના ઘરે પંખામાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગેની મૃતકના ભાઈ ચંદ્રેશ દ્વારા જાણ કરાતા 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પરંતુ તે પહેલા યુવાનનું મોત નિપજ્યું હોવાથી આ અંગે પોલીસમાં જાણ કરાતા હેકો એચ.એ. પરમાર તથા સ્ટાફે સ્થળ પર પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, જામનગરના પંચાયત કર્મચારીનગર નજીક આવેલા સોનલનેશ વિસ્તારમાંથી રવિવારે બપોરના સમયે અજાણ્યો વૃદ્ધ બેશુદ્ધ હાલતમાં મળી આવતા 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને વૃધ્ધને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જયેશ દેગામા દ્વારા જાણ કરાતા એએસઆઈ પી.બી.ગોજિયા તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી ઓળખ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular