Thursday, March 28, 2024
Homeરાજ્યગુજરાતરાજ્યના 53 લાખ ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત, આટલી સહાય મળશે

રાજ્યના 53 લાખ ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત, આટલી સહાય મળશે

- Advertisement -

ખરીફ ઋતુ 2021માં કુદરતી આપત્તિ સમયે પાક નુક્સાન સામે ખેડૂતોને રક્ષણ આપવા મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને ૨૦૨૧ માટે મંજૂરી આપવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ યોજનાને મંજુરી આપી છે. રાજ્યના અંદાજે 53 લાખ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.

- Advertisement -

હમણાં જાહેર થયેલી વિગત પ્રમાણે ખરીફ ઋતુમાં થયેલ પાક નુક્સાનની ટકાવારી 33 થી 60 ટકા હોયતો પ્રતિ હેક્ટર રૂપિયા 20,000 ની સહાય વધુમાં વધુ ૪ હેક્ટરની મર્યાદામાં અપાશે. નુકશાન 60 ટકાથી વધુ હોય તો પ્રતિ હેક્ટર રૂપિયા 25,000ની સહાય આપવામાં આવશે. ખેડૂતોને આ લાભ કોઇપણ પ્રીમીયમ ભર્યા વગર મળશે. આ યોજનામાં વન અધિકાર કાયદા હેઠળ સનદ ધરાવતા વનબંધુ ખેડૂતો પણ આવરી લેવાયા છે. અનાવૃષ્ટિ,દુષ્કાળ,અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ-માવઠું જેવા કુદરતી જોખમો આ સહાય યોજનામાં આવરી લેવાયાછે.

આ યોજનાનો લાભ  લેવા માટે ખેડૂતોની અરજી ઓનલાઈન મેળવવા માટે  ડેડીકેટેડ પોર્ટલ પણ તૈયાર કરવામાં આવશે. લાભાર્થીઓએ લાભ મેળવવા માટે ઈ-ગ્રામ સેન્ટર ઉપર જઈ પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેના માટે ખેડૂતોએ ફી ભરવાની રહેશે નહી. આ સહાય યોજનામાં પ્રાથમિક આકરાણી અને ખેડૂતોની  અરજીના આધારે લાભની  ગણતરી તેમજ તાલુકા કક્ષાએથી  સહાય મંજુર થયા બાદ  જીલ્લા કક્ષાએથી  સહાયની રકમ  લાભાર્થીઓના બેંક અકાઉન્ટમાં સીધી  DBT દ્રારા ચુકવવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular