પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી સામાન્ય પ્રજા ઘણી પરેશાન છે, સોશિયલ મિડિયા પર તેમનો ગુસ્સો જોવા મળી રહ્યો છે, બીજી તરફ વિરોધ પક્ષ પણ માર્ગો પર ઉતર્યા છે, આ દરમિયાન બિજેપીનાં રાજ્ય સભાનાં સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પેટ્રોલ, ડીઝલની વધતી કિંમતો અંગે પોતાની સરકારને નિશાન બનાવી છે, તેમણે શુક્રવારે ટિવટ્ કરીને કહ્યું કે આ મુદ્દા પર જનતાનો મત એક જ છે, કે કિંમતોમાં વધારો શોષણ કરનારો છે, સરકારે પેટ્રોલ, ડીઝલથી હટાવી લેવી જોઇએ. સ્વામીએ ટિવટ્ કર્યું,’લોકોની અવાજ ભાગ્યે જ સ્પષ્ટ અને બુલંદ હોય છે, પરંતું ક્યારેક-ક્યારેક આવું થાય છે, પેટ્રોલ, ડીઝલની વધતી કિંમતો અંગે સામાન્ય પ્રજામાં સામાન્ય મત છે (પોર્ન વિક્રેતાઓ, આઇફોન ચોરો અને નકલી આઈડી વાળા ટિવટ્રાતી સિવાય) વધતી કિંમત શોષણ કરનારી છે. તેથી સરકારે આ વસૂલાતને હટાવી દેવી જોઈએ. ખરેખર, પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશનાં કેટલાક શહેરોમાં પેટ્રોલનાં ભાવ સદી ફટકારી ચુક્યા છે. શુક્રવારે, સમગ્ર દેશમાં સતત 11 માં દિવસે બંને ઇંધણનાં ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં શુક્રવારે પેટ્રોલ 31 પૈસા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 33 પૈસા પ્રતિ લીટર થયું છે. પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને કારણે લોકોનો રોષ પણ વધી રહ્યો છે, જેની અસર સોશ્યલ મીડિયા પર જોવા મળી રહી છે. કોંગ્રેસ સહિત વિરોધી પક્ષો પણ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો સામે રસ્તાઓ પર ઉતરવા લાગ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે ભુટાનમાં પેટ્રોલ અને ડીઝલ ભારતમાંથી જ જાય છે તેમ છતા પણ ત્યાં ભારત કરતા અડધી કિંમતો જ છે, અને આ બાબત પણ ચર્ચાનો વિષય બની છે.
સ્વામીનું ટિવટ્, ઇંધણનો ભાવ વધારો પ્રજાનું શોષણ કરવા જેવો
Previous articleખુશખબર ! 92 ટકા કંપનીઓ પગાર વધારો કરવા તૈયાર
Next articleનીતિન ગડકરીએ કહ્યું ઇ-વાહનોમાં સબસિડી આપો
RELATED ARTICLES
પ્રધાનમંત્રી બાદ વધુ બે રાજ્યના મુખ્યમંત્રીઓએ લીધી કોરોના વેક્સીન
દેશમાં આજે કોરોના વેક્સીનના બીજા તબ્બકાની શરૂઆત થઇ ગઈ છે. જેમાં 60 વર્ષથી વધુ ઉંમરના અને 45 થી 59ની વય ધરાવતા ગંભીર બીમારી વાળા...
અમારી લડાઈ મોદી સાથે, અંબાણી સાથે નથી :એન્ટિલિયા કેસમાં જૈશ-ઉલ-હિન્દની સ્પષ્ટતા
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર વિસ્ફોટક મૂકવાની વાતથી આતંકી સંગઠન જૈશ-ઉલ-હિન્દે ઈન્કાર કરી દીધો છે. સોશિયલ મીડિયામાં જૈશ-ઉલ-હિન્દે એક પોસ્ટ શેર કરી છે....
વિશ્વના સૌથી મોટા ડોનેશન અભિયાન રામ મંદિર નિર્માણ માટે કરોડોનું ભંડોળ એકઠું થયું
અયોધ્યામાં તૈયાર થઇ રહેલ રામમંદિરના નિર્માણ માટે લાખો લોકોએ દાન આપ્યું છે. જયારે છેલ્લા અને 44માં દિવસ સુધીમાં કુલ 2100 કરોડનું ભંડોળ એકઠું થયું...