Friday, March 29, 2024
Homeરાજ્યજામનગરનણંદના ઠપકાનું લાગી આવતા ભાભીની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

નણંદના ઠપકાનું લાગી આવતા ભાભીની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

પોતું કરવા બાબતે આપેલા ઠપકાનું લાગી આવ્યું : સાડી વડે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

જામનગર શહેરના રામેશ્વરનગર નંદનપાર્ક વિસ્તારમાં રહેતી પરિણીત મહિલાને તેણીની નણંદે પોતે કરવા બાબતે આપેલા ઠપકાનું મનમાં લાગી આવતા છતના પંખામાં સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના રામેશ્વરનગર નંદનપાર્ક 02માં રહેતા ભારતીબા ધર્મપાલસિંહ જાડેજા (ઉ.વ.30) નામની પરિણીતાને તેણીની નણંદ જલ્પાબાએ પોતું કરવા બાબતે ઠપકો આપ્યો હતો. આ ઠપકાનું મનમાં લાગી આવતા ભારતીબા એ સોમવારે બપોરના સમયે તેના ઘરે રૂમની છતના પંખામાં સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકના પતિ ધર્મપાલસિંહ જાડેજા દ્વારા જાણ કરવામાં આવતા પીએસઆઇ એસ.વી. સામાણી તથા સ્ટાફે સ્થળ પર પોહંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular