
વર્ષમાં અનેક દિવસની ઉજવણી થાય છે. તેમ 23 એપ્રિલને વિશ્વ પુસ્તક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે 23 એપ્રિલના દિવસે પુસ્તક દિવસની ઉજવણી કરવામાં આવે છે. વાંચન, લેખન, અનુવાદ, પ્રકાશન અને કૉપિરાઇટના રક્ષણના લાભોને પ્રોત્સાહન આપવા માટે આ દિવસને ઉજવાય છે. વિશ્વ પુસ્તક દિવસ પુસ્તક વાચકો, લેખકો, વિક્રેતા અને તેમના પ્રકાશકોને ઉજવવા માટે મનાવવામાં આવે છે.
આજના ઈન્ટરનેટના યુગમાં પુસ્તકો સાથેનુ અંતર વધ્યુ છે. અને વાંચન શોખને પ્રાથમિકતા મળતી નથી. ત્યારે વાંચન વિશે વધુ રૂચિ કેળવાય અને વાંચન શોખને પ્રોત્સાહન આપવા માટે જામનગરમાં રીડર્સ કલબ દ્વારા સફળ પ્રયાસો કરવામાં આવે છે. લોકો વાંચન પ્રત્યે રૂચિ કેળવે, તેમજ નિયમિત વાંચન માટે સમય ફાળવે અને વાંચન શોખને પ્રાથમિકતા આપીને વધુ વાંચન કરીને લેખનને સન્માન આપે તેવો સંદેશ રીડર્સ કલબ દ્વારા આપવામાં આવેલ.