જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા બ્રાસપાર્ટના કારખાનામાંથી નોકરી કરતા કર્મચારીએ આઠ મહિનાના સમય દરમિયાન કારખાનામાંથી રૂા.10.65 લાખની કિંમતનો ભંગાર ચોરી કરી લીધાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં રહેતાં દેવેન્દ્રભાઈ રતીભાઈ પાણસારા નામના પ્રૌઢનું શંકરટેકરી વિસ્તારમાં આવેલા પ્લોટ નંબર-421-એ માં વિનાઈન મશીન પ્રા.લી. નામના કારખાનામાં કામ કરતા રાહુલ નરેશ કછેટીયા નામના કર્મચારીએ ગત તા. 1 ઓગસ્ટ 2024 થી તા.19 એપ્રિલ 2021 સુધીના આઠ માસના સમય દરમિયાન સમયાંતરે રૂા.10,65,000 ની કિંમતના 2130 કિલો પીતળનો છોલ ચોરી કરી ગયો હોવાની શંકાના આધારે કારખાનેદારે કર્મચારી વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ વી બી બરસબીયા તથા સ્ટાફે કર્મચારી વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.