Friday, March 29, 2024
Homeરાજ્યગુજરાતપૂરવઠા અધિકારીઓના આવકના સ્ત્રોતોની તપાસ થવી જોઇએ: પ્રહલાદ મોદી

પૂરવઠા અધિકારીઓના આવકના સ્ત્રોતોની તપાસ થવી જોઇએ: પ્રહલાદ મોદી

રાજયના પૂરવઠા વિભાગમાં મોટો ભ્રષ્ટાચાર: સમગ્ર રાજયમાં આંદોલનની ચિમકી આપતાં પ્રધાનમંત્રીના ભાઇ

- Advertisement -

ગુજરાતમાં ફેર પ્રાઈસ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિયેશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ પડતર માગણીઓ મુદે રાજ્ય સરકાર વિરુદ્ધ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. પીએમ મોદીના ભાઈએ પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરાતો હોવાનો આક્ષેપ કરીને તેમની આવકના સ્ત્રોતની તપાસ કરવાની માગણી કરી છે. તેમજ તેમણે કહ્યું કે, મોર ખાય, ચોર ખાય, મસલ્સ પાવર ખાય, પોલીસ ખાય, અમારો અધિકારી ખાય અને વધે તો મારો દીકરો દૂધ પીવે. આ પાછળ રેશનિંગ દુકાનદારોનું કહેવા મુજબ, તેમને પગાર આપ્યા વિના TDS કાપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આગામી સમયમાં દુકાનદારોની પડતર માગણીઓને જો પુરવઠા વિભાગ પૂરી નહીં કરે તો તેમણે લડત આપવાની હાકલ કરી છે.
ફેર પ્રાઈસ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિયેશના પ્રમુખ પ્રહલાદ મોદીએ રેશનદુકાન દારો ને વગર પગારે TDS કાપી લેતા સરકાર ને આપી ચીમકી ઉચ્ચારી છે. તેમણે કહ્યું કે, દુ:ખ સાથે ગુજરાતના વેપારીઓની વેદના રજૂ કરવાની જરૂરત ઊભી થઈ. રેશનિંગના દુકાનદારોએ કોરોના અને પોતાના પરિવારની ચિંતા કર્યા વિના લોકો સુધી અનાજ પહોંચાડવાનું કામ કર્યું. કોરોનાની ભયંકરતા છતાં રેશનિંગ દુકાનદારોએ ગુજરાતની આબરું સાચવવાનો પ્રયાસ કર્યો. જે બદલ અમને મુખ્યમંત્રી, અધિકારીઓ તરફથી અભિનંદન મળ્યા. આટલી મહેનત કરવા છતાં બજેટમાં અમને એક રૂપિયો પણ ફાળવાયો નથી.
પીએમ મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ વધુમાં કહ્યું- ઘણા દુકાનદારો બેહાલ છે અને તેમની પાસે પૈસા નથી. મા વાત્સલ્ય કાર્ડ માગીએ તો પણ આપતા નથી. આવી પરિસ્થિતિમાં અમારે ગુજરાત સરકારને ના છૂટકે કહેવું પડે છે, કે જો તમે અમારા પડતર પ્રશ્ર્નો વિશે વિચાર નહીં કરો તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવા વિશે વિચારવું પડશે અને જેની જવાબદારી ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની રહેશે. કોઈ રાગ દ્વેષ જેવું લાગી રહ્યું છે. વ્યાજબી ભાવના દુકાનદારો સાથે આટલો અન્યાય કેમ કરવામાં આવી રહ્યો છે? કોરોનામાં 35-36 દુકાનદારો ગુજરી ગયા. તેમના માટે સરકારે 25 જાહેર કર્યા પરંતુ આપવાની તૈયારી દેખાતી નથી.
પ્રહલાદ મોદી આરોપ લગાવે છે કે, અધિકારીઓ કહે છે, આટલા બધા લોકો કોરોનામાં ગુજરી ન જાય તેમ કહીને ફાઈલોમાં ખોટી ભૂલો બતાવીને તેને પેન્ડિંગ રાખે છે. તો હું કહેવા માગું છું કે ગુજરાત સરકાર અને ભારત સરકાર જે આંકડા રજૂ કરે છે તે ખોટા છે.
મારી આપના તરફથી માગણી છે કે આટલા વર્ષોમાં ગુજરાતમાં પુરવઠા વિભાગમાં જે-જે કર્મચારીઓ અને અધિકારીઓએ કામ કર્યા છે તેમની આવકના સ્ત્રોતની તપાસો એટલે તમને ખબર પડશે કે કાળાબજારી અને ભ્રષ્ટાચારી કોણ હતા. તપાસવાની તૈયારી સરકારની હોવી જોઈએ. જેમ કહેવતમાં કહ્યું છે, મોર ખાય, ચોર ખાય પછી ખેડૂતનો દીકરો ખાય એમ અમારે પણ એ પરિસ્થિતિ છે. મોર ખાય, ચોર ખાય, મસલ્સ પાવર ખાય, પોલીસ ખાય, અમારો અધિકારી ખાય અને વધે તો મારો દીકરો દૂધ પીવે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular