Thursday, July 10, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં પરિણીતા યુવતીની ગળેફાંસો ખાઇ આત્મહત્યાથી અરેરાટી

જામનગરમાં પરિણીતા યુવતીની ગળેફાંસો ખાઇ આત્મહત્યાથી અરેરાટી

વાલ્મિકીનગરમાં ગળેટૂંપો ખાઇ જિંદગી ટૂંકાવી : પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ

જામનગર શહેરમાં આયુર્વેદિક હોસ્પિટલ પાછળ આવેલા વાલ્મિકીનગરીમાં રહેતી યુવતીએ કોઇ અગમ્ય કારણોસર તેના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં આયુર્વેદિક હોસ્પિટલ પાછળના વાલ્મિકિનગરમાં રહેતી ભારતીબેન શ્યામભાઇ પરમાર (ઉ.વ.25) નામની યુવતીએ સોમવારે રાત્રિના સમયે તેના ઘરે અગમ્ય કારણોસર રૂમની છતના હૂકમાં દોરી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ તેણીનું મોત નિપજયાનું જાહેર કર્યું હતું. આ અંગે દીપકભાઇ પરમાર દ્વારા જાણ કરાતા પીએસઆઇ જે. પી. સોઢા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યા પાછળનું કારણ જાણવા સહિતની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular