Saturday, April 20, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકોની મિલકત વેરા શાખા દ્વારા વધુ 9 મિલકતોની જપ્તી

જામ્યુકોની મિલકત વેરા શાખા દ્વારા વધુ 9 મિલકતોની જપ્તી

કુલ 154 આસામીઓ પાસેથી કુલ રૂા.40,25,108ની સ્થળ પર વસૂલાત

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા તા.19 અને 20 માર્ચના બે દિવસ દરમિયાન મિલકત વેરો ન ભરનાર 9 મિલકતોને જપ્ત કરવામાં આવી છે. તેમજ 154 આસામીઓ પાસેથી રૂા.40,25,108ની વસૂલાત કરવામાં આવી હતી.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા કમિશનરની સૂચના અનુસાર આસિ.કમિશનર ટેકસ જીગ્નેશ નિર્મલ, ટેકસ ઓફિસર જી.જે.નંદાણિયાના માર્ગદર્શન હેઠળ રિકવરી ટીમો દ્વારા બે દિવસ દરમિયાન 9 મિલકતોને જપ્ત કરાઇ હતી. જેમાં જનતા ગેસ્ટ હાઉસ, ભંગાર બજાર પાસે, યાસિન એન્ડ કંપની ભાગીદાર પેઢીની મિલકત, પાણાખાણમાં અરશીભાઇ કંડોરિયાની, સુપર માર્કેટમાં મુકેશકુમાર મોદીની ત્રણ મિલકતો, સુપર માર્કેટમાં મહાવીર બાંધણી ભાગીદાર પેઢીના ભાગીદારોની, બેડી ગેઇટ પાસે પ્રભુલાલ ભગવાનજી બચુભાઇ એન્ડ રવજી જોબરની, નાગનાથ ગેઇટ પાસે પરવિન્દરકુમાર લખાસિંગ સહિત કુલ 9 મિલકતો જપ્ત કરાઇ છે. તેમજ કુલ 154 આસામીઓ પાસેથી કુલ રૂા.40,25,108ની સ્થળ ઉપર વસૂલાત કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular