Friday, March 29, 2024
Homeરાજ્યધારાસભ્ય ચિરાગ કાલરીયાની રજૂઆત બાદ ફાયર એનઓસીના અભાવે બંધ કરાયેલ શાળા પુન:...

ધારાસભ્ય ચિરાગ કાલરીયાની રજૂઆત બાદ ફાયર એનઓસીના અભાવે બંધ કરાયેલ શાળા પુન: શરૂ

- Advertisement -

જામજોધપુરની ત્રણ માળની સરકારી શાળાઓ ફાયર એનઓસી ન હોવાના કારણે નગરપાલિકા દ્વારા સીલ કરાઇ હતી પરંતુ કોરોનાકાળ દરમિયાન બંધ કરાયેલ સરકારી શાળાઓ ફરી સરકારે ખોલવાનો આદેશ કરવામાં આવ્યો હોવા છતાં જામજોધપુરમાં આ સરકારી શાળાઓમાં ગ્રાન્ટનો અભાવ હોય, ફાયર એનઓસી ન મેળવેલ હોય, વિદ્યાર્થીઓની મુશ્કેલીમાં વધારો થવા પામ્યો હતો. ધારાસભ્ય ચિરાગભાઇ કાલરીયાના ધ્યાને આ વાત આવતાં તેમણે આ અંગે રજૂઆત કરી ફાયર એનઓસી મેળવવાની ખાતરી અપાવતા આખા જિલ્લાની આ રીતે બંધ થયેલ સરકારી શાળાઓ ખુલી હતી. આ રીતે બંધ કરવામાં આવેલ શાળાઓ ખુલતા ધારાસભ્ય દ્વારા આ શાળાઓની રુબરુ મુલાકાત લીધી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular