Tuesday, April 16, 2024
Homeરાજ્યજામનગરકોરોના ગાઇડલાઇનનું પાલન કરવા કોર્પોરેટર દ્વારા અનુરોધ

કોરોના ગાઇડલાઇનનું પાલન કરવા કોર્પોરેટર દ્વારા અનુરોધ

- Advertisement -

જામનગરના વોર્ડ નં. 1માં કોરોનાના પોઝિટિવ કેસો વધુ આવ્યા હોય અને તેમની હાલત પણ ગંભીર હોય, આ પરિસ્થિતિમાં વોર્ડ નં. 1ના નાગરિકોએ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવા કોર્પોરેટર એડવોકેટ નુરમામદ પલેજા દ્વારા અપીલ કરવામાં આવી છે.

- Advertisement -

છેલ્લા એકાદ માસથી કોરાનાની ગંભીર બિમારીના કારણે વોર્ડ નં. 1માં મૃત્યુનું પ્રમાણ વધ્યું છે. વોર્ડ નં. 1ના જોડિયાભુંગા વિસ્તારમાંથી, ધરારનગર-1માંથી તથા બેડી વિસ્તારમાંથી તા. 12 એપ્રિલ સુધીમાં સાત વ્યક્તિઓના મૃત્યુ થયા છે. જ્યારે હાલ 40 જેટલા વ્યક્તિઓ પોઝિટિવ આવ્યા છે. તેઓની હાલત ગંભીર છે. આ પરિસ્થિતિમાં વોર્ડ નં. 1માં દરેક વડીલો-ભાઇઓ, બહેનો તથા યુવાનોને કોરોનાના નિયમોનું પાલન કરવા, કામ સિવાય બહાર ન નિકળવા તથા માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો છે. આ ઉપરાંત વોર્ડ નં. 1ના આરોગ્ય કેન્દ્રમાં ચાલતાં રસિકરણનો લાભ લેવા વોર્ડ નં. 1ના કોર્પોરેટર એડવોકેટ નુરમામદ પલેજા દ્વારા અપીલ કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular