Thursday, April 18, 2024
Homeરાજ્યજામનગરહાલારમાં કોરોના સંક્રમણમાં ઘટાડો, જામનગર જિલ્લામાં પાંચ દર્દીના મોત

હાલારમાં કોરોના સંક્રમણમાં ઘટાડો, જામનગર જિલ્લામાં પાંચ દર્દીના મોત

બે દિવસમાં જામનગર શહેરમાં 69, ગ્રામ્ય વિસ્તારમાં 30 અને દ્વારકામાં 33 દર્દી પોઝિટિવ : છેલ્લાં 48 કલાકમાં શહેરના 239, ગ્રામ્યના 105 અને દ્વારકાના 35 દર્દીઓ સ્વસ્થ થયા : ચાર દર્દીના કોવિડ હોસ્પિટલમાં અને એક દર્દીનું ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં ઘણાં દિવસથી કોરોના મહામારીના વકરી રહેલા સંક્રમણમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ, આ ઘટાડાની સાથે સાથે જિલ્લામાં કોરોનાથી થતા મૃત્યુનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. છેલ્લાં 48 કલાક દરમિયાન હાલારમાં કુલ 132 નવા પોઝિટિવ કેસની સામે 379 દર્દી સાજા થયા હતાં અને જામનગર જિલ્લામાં 48 કલાક દરમિયાન પાંચ દર્દીઓના મોત નિપજતા ફફડાટ ફેલાઈ ગયો હતો.

- Advertisement -

ભારત સહિત સમગ્ર વિશ્ર્વમાં કોરોનાની ત્રીજી લહેર ઓમીક્રોનમાં સંક્રમણ અનેકગણી ઝડપી વકરી રહ્યું છે પ્રથમ અને બીજી લહેર કરતા સંક્રમિત થતા લોકોની સંખ્યા સતત વધતી જાય છે. જો કે, આ ત્રીજી લહેરમાં હોસ્પિટલમાં સારવાર લેનારા દર્દીઓની સંખ્યામાં 90 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. કેમ કે આ લહેરમાં સામાન્ય લક્ષણો હોવાથી દર્દીઓ ઘરે આઈસોલેશન થઈને સારવાર કરાવ્યા બાદ સ્વસ્થ થઈ રહ્યા છે જેના કારણે દેશભરમાં ત્રીજી લહેરમાં પોઝિટિવ દર્દીનો રિકવરી રેટ વધુ છે. ગુજરાત રાજ્યમાં પણ કોરોનાની ત્રીજી લહેરમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી હતી પરંતુ છેલ્લાં બે સપ્તાહથી આ સંક્રમિત થનારા લોકોમાં ક્રમશ: ઘટાડો થઈ રહ્યો છે. જે સારી બાબત છે પરંતુ, ત્રીજી લહેરમાં છેલ્લે-છેલ્લે પોઝિટિવ દર્દીઓના મોતની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. આમ તો, 90 ટકા દર્દીઓ ઘરે જ સ્વસ્થ થઈ જાય છે. પરંતુ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓનો મૃત્યુઆંક ઉંચો જતો જાય છે.

છેલ્લાં 48 કલાક દરમિયાન હાલારમાં કુલ 132 પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેમાં જામનગર શહેરમાં શનિવારે 51, રવિવારે 18 મળી 69 દર્દીઓ નવા ઉમેરાયા છે અને તેની સામે 239 દર્દીઓ સ્વસ્થ થયા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં શનિવારે 22, રવિવારે 8 મળી કુલ 30 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેની સામે 105 દર્દીઓ સાજા થયા છે. જો કે, કોરોનાની ત્રીજી લહેરમાં સ્થિતિ સુધારા તરફ આગળ વધી રહી છે. ત્યારે આ લહેરમાં મૃત્યુઆંક ગંભીર રીતે વધી રહ્યો છે. જેમાં છેલ્લાં 48 કલાક દરમિયાન જામનગર જિલ્લામાં પાંચ દર્દીઓના મોત નિપજતા ફફડાટ ફેલાઈ ગયો છે. જે પૈકીના ચાર દર્દી અહીંની કોવિડ હોસ્પિટલમાં અને એક દર્દીનું ખાનગી હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરોગ્ય વિભાગની યાદીમાં જાહેર થયેલી વિગત મુજબ છેલ્લા બે દિવસ દરમ્યાન જિલ્લામાં કોરોનાના 33 નવા કેસ નોંધાયા છે. જ્યારે 35 દર્દીઓએ કોરોનાને મહાત આપી છે. શનિવારે તથા રવિવારે અનુક્રમે 1003 અને 663 મળી, 1666 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં શનિવારે 20 તથા રવિવારે 13 કોરોના સંક્રમિત દર્દીઓ સામે આવ્યા છે. શનિવારે ભાણવડમાં 11, દ્વારકામાં બે, કલ્યાણપુરમાં ચાર અને ખંભાળિયામાં 3 કેસ જ્યારે રવિવારે ભાણવડમાં બે, દ્વારકામાં છ, કલ્યાણપુરમાં ચાર અને ખંભાળિયામાં એક નવા દર્દીઓનો ઉમેરો થયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular