રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) એ ડિજિટલ ટ્રાન્ઝેક્શન સાથે વધતી છેતરપિંડીને રોકવા માટે મહત્વપૂર્ણ પગલાં લીધાં છે. RBI એ બૈંકોને તાકીદ કરી છે કે ગ્રાહકોને ટ્રાન્ઝેક્શન સંબંધિત બાબતો માટે ફક્ત ‘1600xx’ નંબર શ્રેણીમાંથી જ ફોન કરવા જોઈએ.
આર્થિક છેતરપિંડી અટકાવવા મહત્વના પગલાં
ફ્રોડ ઘટાડવા માટે, RBI એ બૅંકો અને અન્ય નિયમનકાર સંસ્થાઓ (REs) ને કસ્ટમર ડેટાની મોનિટરિંગ અને ડિલીટ કરવાના આદેશ આપ્યા છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શનની વધતી લોકપ્રિયતાને કારણે છેતરપિંડીની સંખ્યા પણ વધી છે. RBI એ આને ગંભીર મુદ્દો ગણાવીને સાવચેતીરૂપે કાર્યવાહી કરવાનું જણાવ્યું છે.
મોબાઈલ નંબરની સુરક્ષા મહત્વપૂર્ણ
ગ્રાહકોના મોબાઇલ નંબર હવે આઇડેન્ટિફિકેશન માટે મહત્વનું સાધન બની ગયું છે. OTP, ટ્રાન્ઝેક્શન એલર્ટ, અને ખાતાના અપડેટ માટે મોબાઈલ નંબરનો ઉપયોગ થાય છે. પરંતુ, છેતરપિંડી કરનારા તેના દુરુપયોગથી વિવિધ પ્રકારની છેતરપિંડી કરી શકે છે. આથી, RBI એ બૈંકોને સુચના આપી છે કે ટ્રાન્ઝેક્શન અથવા સર્વિસ સંબંધિત ફોન માત્ર ‘1600xx’ શ્રેણીમાંથી જ કરવાં જોએ, જ્યારે પ્રમોશનલ ફોન કૉલ ફક્ત ‘140xx’ શ્રેણીમાંથી કરવા જોઈએ.
TRAI ના માર્ગદર્શિકાનું પાલન અનિવાર્ય
આ સાથે RBI એ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) દ્વારા કરવામાં આવેલા વ્યાપારી કૉમ્યુનિકેશન માટેના નિયમોનું પાલન કરવાનું પણ કહ્યું છે. ટ્રાન્ઝેક્શન સંબંધિત કોલ્સ અથવા એસએમએસ માટે ટ્રાઈ દ્વારા નક્કી કરાયેલા નિયમોને ચુસ્તણે અમલમાં લાવવાનું સૂચન કરવામાં આવ્યું છે.
મોબાઈલ નંબર રદ થવાના જોખમથી બચવું જરૂરી
RBI એ સૂચવ્યું છે કે મોબાઇલ નંબર રદ થવાના જોખમને અટકાવવા માટે બૅંકોએ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન અને કમ્યુનિકેશન મિનિસ્ટ્રીના ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ (DIP) પર ઉપલબ્ધ મોબાઇલ નંબર રેવોકેશન લિસ્ટ (MNRL) નો ઉપયોગ કરવ જોઈએ.
સંચાલન માટે SOP વિકસાવવું જરૂરી
ફ્રોડની જોખમ ઘટાડવા અને મોનિટરિંગ મજબૂત બનાવવા માટે, RBI એ બૅંકો અને NBFCs ને માનક પ્રચલિત પ્રણાલીઓ (SOPs) વિકસાવવાની સૂચના આપી છે. આ SOPsમાં ગ્રાહકોના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર (RMN) ની યોગ્ય રીતે પુષ્ટિ પછી અપડેટ કરવું અને રદ થયેલા નંબર સાથે જોડાયેલા ખાતાઓની મોનિટરિંગ વધારવી જરૂરી છે.
નિર્દેશો માટે અંતિમ તારીખ
RBI એ બૅંકોને આ નવિન માર્ગદર્શિકાઓનું પાલન ઝડપભેર કરવા સૂચના આપી છે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે 31 માર્ચ, 2025 સુધી પૂર્ણ થવી જોઈએ. આ પગલાં ગ્રાહકોના ડેટાની સુરક્ષા અને છેતરપિંડી અટકાવવા માટે મહત્વપૂર્ણ છે.
RBI દ્વારા આ નવું ફોર્મ્યુલા છેતરપિંડી અટકાવવા માટે મહત્વપૂર્ણ છે. બેન્કો અને ગ્રાહકો માટે આ ગાઇડલાઇન્સ પાલન કરવાથી ફાઇનાન્શિયલ ટ્રન્ઝેક્શનમાં વિશ્વસનીયતા વધશે અને ડિજિટલ સુરક્ષામાં સુધારો થશે.