જામનગર શહેરમાં રહેતાં આવાસ કોલોનીમાં રહેતાં યુવાન પાસે તેના જ મિત્રએ બેંક એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયું હોય, ખોલવા માટે કટકે કટકે લીધેલા રૂા.8,50,000 પરત નહીં વિશ્વાસઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

છેતરપિંડીના વધુ એક બનાવની વિગત મુબ, જામનગર શહેરમાં બેડેશ્ર્વર પુલ નીચે આવેલા વીર સાવરકરભવન આવાસ કોલોનીમાં રહેતા અને નોકરી કરતા પરેશ સાહેબરાવ બરડે (ઉ.વ.30) નામના યુવાનને તેના મિત્ર શૈલેન્દ્રસિંગ નિર્બન નામના શખ્સે તેનું બેંક ખાતુ ફ્રીઝ થઈ ગયું હોય. તેને ખોલવા માટે પૈસાની જરૂરત હોવાથી પરેશને ‘મારા પૈસા પાછા મળી જશે એટલે હું તમારા પૈસા આપી દઈશ અને તેની સાથે વધારાના પાંચ લાખ આપીશ’ તેવી લાલચ આપી પરેશ પાસેથી નવેમ્બર-2024 થી ડિસે્બ સુધીના બે સપ્તાહના સમય દરમિયાન કટકે કટકે ઓનલાઈન તથા રોકડ રકમ દ્વારા રૂા.8,50,100 લઇ લીધા હતાં. ત્યારબાદ આ રૂપિયાની પરેશભાઈ દ્વારા માંગણી કરવામાં આવતા શૈલેન્દ્રસીંગ દ્વારા રૂપિયા પરત કરાયા ન હતાં. દરમિયાન પરેશ દ્વારા તપાસ હાથ ધરાતા શૈલેન્દ્રસીંગ જુદી જુદી વ્યક્તિઓને વધારે પૈસા આપવાની લાલચ આપી ઠગાઈ કરતો હોવાનું જાણવામાં આવતા પરેશભાઈએ આ છેતરપિંડી અંગે સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં શૈલેનદ્રસીંગ વિરૂધ્ધ સાડા આઠ લાખ રૂપિયાની છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ એમ.વી. મોઢવાડિયા તથા સ્ટાફે શૈલેન્દ્રસીંગ વિરૂધ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી આગળની તપાસ આરંભી હતી.