જામનગર શહેરમાં પવનચક્કી સર્કલ નજીક જામનગર મહાનગરપાલિકાના ચાલતા કામ દરમ્યાન ખોદકામથી લોકો ત્રાહિમામ થયા છે અને અવારનવાર ટ્રાફિકજામ સહિતની સમસ્યા સર્જાય છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા પવન ચકકી સર્કલ નજીક કેટલાંક કામો ચાલી રહ્યાં છે. જેની ધીમી ગતિને કારણે મસમોટા ખાડા ઘણાં દિવસથી હોય લોકો પરેશાનીનો સામનો કરી રહ્યાં છે. છેલ્લા પંદરેક દિવસથી આવી પરિસ્થિતિ હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. ખાસ કરીને સવાર-સાંજના સમયે અવારનવાર ટ્રાફિક જામ સર્જાય છે. જેના પરિણામે વાહનોની લાંબી કતારો લાગે છે અને લોકોને વૈકલ્પિક વ્યવસ્થાની શોધખોળ કરવી પડે છે. આથી આ સમસ્યાના નિરાકરણની માંગણી લોકો કરી રહ્યાં છે.
View this post on Instagram


