Wednesday, March 26, 2025
Homeરાષ્ટ્રીયપ્રધાનમંત્રી મોદીને વધુ એક એવોર્ડ

પ્રધાનમંત્રી મોદીને વધુ એક એવોર્ડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સીઈઆરએવીક ગ્લોબલ એનર્જી એન્વાયર્મેન્ટ લીડરશીપનો એવોર્ડ મળ્યો હતો. ૧૯૮૩માં ડૉ. ડેનિયલ યેરગિને સ્થાપેલી સીઈઆરએવીક દર વર્ષે માર્ચમાં આ એવોર્ડ એનાયત કરે છે. પર્યાવરણ પ્રત્યે પ્રતિબદ્ધ લીડરને આ એવોર્ડ એનાયત કરવામાં આવે છે.

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ એવોર્ડ સ્વીકારતી વખતે કહ્યું હતું કે ભારતની પ્રાચીન પરંપરામાં પર્યાવરણની દેખરેખ રાખવાની શીખ મળતી હતી. ભારત પાસે તો મહાત્મા ગાંધીજી જેવા નેતા હતા, જેમણે પર્યાવરણને અનુકૂળ થઈને જીવન જીવવાની દેશભરના લોકોને પ્રેરણા આપી હતી.

પીએમ મોદીએ આ એવોર્ડ દેશવાસીઓને સમર્પિત કર્યો હતો. આ તકે  પીએમ મોદીએ કહ્યું હતું કે ભારતીય ખોરાકની પદ્ધતિ વધારે સ્વાસ્થ્યવર્ધક અને પર્યાવરણને અનુરૃપ હતી. વિશ્વએ એ રસ્તે ચાલીને પર્યાવરણ બચાવવાની જરૂર છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular