Saturday, June 14, 2025
Homeરાજ્યજામનગરસાંસદ પૂનમબેન માડમ દ્વારા દોઢ દાયકાથી જોડીયામાં બોર્ડ પરીક્ષા દરમ્યાન ભોજનનો સેવાયજ્ઞ...

સાંસદ પૂનમબેન માડમ દ્વારા દોઢ દાયકાથી જોડીયામાં બોર્ડ પરીક્ષા દરમ્યાન ભોજનનો સેવાયજ્ઞ – VIDEO

જામનગરના જોડીયામાં બોર્ડની પરીક્ષા માટે આવેલા વિધાર્થી માટે અનોખો સેવાજ્ઞ કાર્યરત છે. બોર્ડની પરીક્ષા બાદ વિધાર્થીઓને ભોજનની વ્યવસ્થા સાંસદ પૂનમબેન માડમ દ્રારા ટ્રસ્ટ માધ્યમથી કરવામાં આવે છે.

- Advertisement -

જોડીયા તાલુકામાં બોર્ડના વિધાર્થીઓ માટે ભોજન અંગેની કોઈ વ્યવસ્થા ન હોવાથી સ્વ.હેમતભાઈ રામભાઈ માડમ મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા સને : 2010 થી સતત જોડીયા ખાતે બોર્ડના પરીક્ષાર્થીઓની ભોજન વ્યવસ્થા કરવામાં આવે છે. તે મુજબ ચાલુ વર્ષે પણ તા.27/2/2025 થી શરૂ કરવામા આવી છે. ધો. 10 ની બોર્ડની પરીક્ષા સમયે જોડીયાના પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા આપતા તમામ પરીક્ષાર્થીઓ, વાલીઓ, પરીક્ષાર્થીઓના વાહન ચાલકો, પરીક્ષા વ્યવસ્થાના તમામ શાળાઓના શૈક્ષણિક સ્ટાફ સહીત દરરોજ 700 થી વધુ લોકો માટેની ભોજન વ્યવસ્થા તા.27/2/2025 થી પરીક્ષાર્થીઓના પેપરના દિવસોમાં લોહાણા મહાજન વાડી-જોડીયા ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે. તે માટે ટ્રસ્ટના પ્રમુખશ્રી પૂનમબેન માડમના સૌજન્યથી ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ વ્યવસ્થા સંકલન શ્રી પ્રવિણભાઈ માણેક કરી રહ્યા છે.

- Advertisement -

હાલ બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે જામનગરના જોડીયા તાલુકામાં બોર્ડની પરીક્ષા આપતા વિધાર્થીની અનોખી રીતે સેવા કરવામાં આવે છે. જોડીયા તાલુકા મથક પર બોર્ડનુ સેન્ટર આવેલુ છે. જયાં આસપાસ આશરે 50 જેટલા ગામના વિધાર્થીઓ પરીક્ષા માટે આવે છે. જોડીયા ગામ નાનુ છે. જયા પરીક્ષા બાદ વિધાર્થી પૈસૈ ખર્ચને પણ ભોજન મળવુ મશુકેલ હોય છે. જેને ધ્યાને લઈને જામનગર હેમંતભાઈ માડમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા આ વિધાર્થી માટે ભોજનની વ્યવસ્થા રાખવામાં આવે છે. પરીક્ષા પુર્ણ કરીને તમામ વિધાર્થી અંહી ભોજન લે છે. અને ખુશી વ્યકત કરે છે. બોર્ડ પરીક્ષા બાદ અપડાઉન કરતા વિધાર્થી મોડા ગામ કે ઘરે પહોચે. તેથી કોઈ પરીક્ષાર્થી ભુખ્યા ન રહે તે હેતુથી ભોજનની સેવા આપવામાં આવે છે.

જામનગરના સાંસદ પુનમબેન માડમને ધ્યાને આવતા, તેમના પિતાના નામે ચાલતા ટ્રસ્ટ દ્રારા સતત 15 વર્ષથી આ સેવા કાર્યરત છે. જેમાં હાલ દૈનિક કુલ 700થી વધુ લોકોને ભોજન આપવામાં આવે છે. વિધાર્થીઓ સાથે આવેલા વાલીઓ, શિક્ષકો કે અન્ય ખાનગી વાહનોમાં આવેલા ડ્રાઈવર સહીતના લોકોને ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. અને પરીક્ષા શરૂથી અંતિમ દિવસ સુધી ભોજન સેવા ચાલુ રહે છે.

- Advertisement -

ધાર્મિક સ્થાનોમાં જતા શ્રધ્ધાળુઓ માટે ભોજનની વ્યવસ્થા અનેક જગ્યાઓ પર હોય છે. પરીક્ષા માટે જતા પરીક્ષાર્થીઓ માટે આ પ્રકારની ભોજન વ્યવસ્થા માત્ર જોડીયા હશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular