જામનગર શહેરમા આવેલી રંગમતિ નદીને પહોળી અને ઉડી કરવાની કામગીરીનો પ્રારંભ મંગળવારથી કરવામાં આવ્યો હતો. લાલપુર ચોકડી પાસે આવેલ પુલ નીચેથી કામગીરીનો પ્રારંભ થયો છે. જે નદીના ચાલતા કામની સ્થળ મુલાકાત ધારાસભ્ય રિવાબા જાડેજાએ કોર્પોરેટરોને સાથે રાખી કરીને હતી. સાથે કામની વિસ્તૃત માહિતી અધિકારી પાસે મેળવીને જરુરી સુચનો અને સમીક્ષા કરી હતી.

ધારાસભ્ય રિવાબા જાડેજાએ અધિકારીઓ ચોમાસા પહેલા નદીને પહોળી અને ઉડી કરવાની કાર્યવાહી પુર્ણ કરવા સુચન કર્યુ, સાથે જ નદીના પટ્ટ પર દબાણો હોય તેને વહેલી તકે દુર કરવાની કાર્યવાહી કરવા સુચન કર્યુ હતું. જામનગર શહેરમાં ચોમાસામાં કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા હોય છે. આ સમસ્યાના કાયમી ઉકેલ મહાનગર પાલિકા દ્વારા પ્રયાસો શરૂ થયા છે. ચોમાસા પહેલા શહેરની રંગમતિ નદીને તેના મુળ સ્વરૂપે લાવી પહોળી કરવાનો પ્લાન તૈયાર તેનો અમલ શરુ કર્યો છે. સુજલામ-સુફલામ યોજના હેઠળ જુદી જુદી કંપનીઓ તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી આ કામગીરી ચોમાસા પહેલા પુર્ણ કરાશે. જેથી રીવરફન્ટ માટેનો તકકો થશે તૈયાર થશે. આ કામગીરીથી ચોમાસા દરમિયાન નદીમાં પૂરનું વધારે પાણી સરળતાથી વહન થઈ શકે.
ધારાસભ્ય રિવાબાએ જણાવ્યુ હતુ કે કુલ અંદાજે 500 કરોડનો રીવરફ્રન્ટ પ્રોજેક્ટ છે જેનુ પ્રથમ ફેઝનુ 125 કરોડનુ કામ થનાર છે. ટુંક સમયમાાં રાજય સરકાર દ્વારા તે માટે સકારાત્મક પ્રયાસ થનાર છે. ડ્રીમ પ્રોજેકટ રીવરફ્ન્ટ માટે મુખ્યમંત્રીનો આભાર વ્યકત કર્યો. શહેરના કેટલાક વિસ્તારોમાં ચોમાસા જે પાણી ભરાય છે તે સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે છે. મહાનગર પાલિકાના સીટી ઈજનેર ભાવેશ જાનીએ જણાવ્યુ હતુ કે હાલ 5 હિટાચી મશીન, 2 જેસીબી 5 ડમ્પર સહીત મશીનરીથી કામ શરુ થયુ છે. જે માટે અંદાજીત ચાર કરોડનો ખર્ચ થનાર છે. ચોમાસા સુઘી અંદાજે 45 દિવસ કામગીરી ચાલશે. આ માટે સ્વૈચ્છિક સંસ્થાઓ, ખાનગી કંપનીઓ, બિલ્ડર, કોન્ટ્રાકરોના આર્થિક સહયોગથી આ કામગીરી કરવામાં આવેલ છે.